April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ: 4 ઓગસ્‍ટે ડોંબિવલીકર ફ્રેન્‍ડશીપ મેરેથોન સાથે હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકાએ 300મી હાફ મેરેથોન પૂર્ણ કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
મુંબઈ, તા.06: 62 વર્ષીય શ્રી હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકા એક અગ્રણી એક્ષપોર્ટ હાઉસ – ગુટકા ગ્રુપ ઓફ કંપનીના મેનેજીંગડાયરેક્‍ટર છે, જે પ0થી વધુ દેશોમાં વૈશ્વિક સ્‍તરે ભારતીય ખાદ્ય પદાર્થોની (ખાસ કરીને લિજ્જત પાપડના સૌથી મોટા નિકાસકર્તા) નિકાસ કરે છે જેના વિશ્વવ્‍યાપી ગ્રાહકો છે. ઈન્‍ડિયન સ્‍પાઈસ એન્‍ડ ફૂડસ્‍ટફ એક્‍સપોર્ટર્સ એસોસિએશનના (આઈએસએફઈએ)ના તેઓ અધ્‍યક્ષ છે.
4 ઓગસ્‍ટ, 2024ના રોજ યોજાયેલ ડોંબિવલીકર ફ્રેન્‍ડશીપ રનમાં શ્રી હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકાએ ભાગ લીધો હતો અને તે સફળતાપૂર્વક પૂર્ણ કરી એક વાર ફરીથી શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ વધાર્યું છે. આમ તો તેમણે એકંદરે વૈશ્વિક સ્‍તરે 300થી વધુ મેરેથોન પૂર્ણ કરેલ છે પરંતુ આ મેરેથોન સાથે તેમણે 300મી હાફ મેરેથોન દોડી એક અનોખું ઉદાહરણ પુરૂ કરેલ છે, જે નોંધનીય છે.
એક સફળ અને ખૂબ જ વ્‍યસ્‍ત વ્‍યક્‍તિત્‍વ ધરાવતા શ્રી હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકા લગભગ દર અઠવાડીયે વિવિધ હાફ મેરેથોનમાં અચૂક ભાગ લે છે અને તેમના આ જુસ્‍સાને લીધે જ તેઓ આટલા ઓછા સમયમાં 300મી હાફ મેરેથોન પુરી કરી શક્‍યા છે, જેનાથી એમની સિધ્‍ધિઓમાં એક ઔર વધારો થયો છે.
નિયમિત દોડવું એ એમની આદત બની ગઈ છે તે ઉપરાંત તેઓ નિયમિત સાયક્‍લિંગ પણ કરે છે જે એમના શરીરને ખૂબ જ ચુસ્‍ત અને તંદુરસ્‍ત રાખે છે. 49 વર્ષની ઉંમરે દોડવાનું શરૂ કરનાર શ્રી હિતેશ ચુનીલાલપોપટલાલ ગુટકા અનેક વેપારી ભાઈઓના પણ માર્ગદર્શક બની ગયા છે. કારણ કે વ્‍યક્‍તિ એકવાર કઈ ધારી લે તો એ કઈપણ હાંસલ કરી શકે છે એ એમની સફળતાનો મંત્ર છે.

Related posts

ધરમપુરના સાતવાકલના આદિવાસી ખેડૂતે ખેતીમાં આજસુધી રાયાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી : સંપૂર્ણ સોલાર આધારિત ખેતી

vartmanpravah

વલસાડ જિલ્લા બીજેપી અનુસૂચિત મોરચા દ્વારા રમાબાઈ આંબેડકરની જન્‍મ જયંતી નિમિત્તે ફણસા ખાતે મહિલા મેડિકલ કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

ઉદયમાન સૂર્યને અર્ઘ્‍ય આપવાની સાથે છઠ્ઠ મહાપર્વનું સમાપનઃ આસ્‍થાના ઓજસથી તરબોળ બનેલો દમણનો નમો પથ

vartmanpravah

દાનહઃ ખેરડી ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થી અને યુવાનોની કારકિર્દી ઘડતર માટે કેરિયર કાઉન્‍સિલિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરસાડી ખાતે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૨૬ મીટર લાંબા પેડેસ્ટલ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે પણ નરેન્‍દ્રભાઈ મોદીની નજર દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર રહી છે

vartmanpravah

Leave a Comment