Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જિલ્લા સત્ર ન્‍યાયાલયનો શકવર્તી ચુકાદો: ખાનવેલ-નાશિક રોડ પર એક વ્‍યક્‍તિની હત્‍યા કરનાર બે આરોપીઓને આજીવન કેદની સજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.01: દાદરા નગર હવેલીના સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં તા.01 જૂન, 2018ના રોજ ટ્રક નંબર જીજે-15-યુયુ-0355ના ચાલક અંસાર અજીમુલ્લા ખાન વિરુદ્ધ આઇપીસીની કલમ 407 મુજબ ફરિયાદ નોંધવામા આવી હતી. તપાસ દરમ્‍યાન ટ્રક અને એમાં રાખવામાં આવેલ સામાનને જપ્ત કરવામાં આવ્‍યો હતો.
4 જૂનના રોજ પોલીસને મળેલ બે અજાણ્‍યા વ્‍યક્‍તિઓને પણ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં લાવવામાં આવ્‍યા હતા. પોલીસ દ્વારા ચાલકના સંબંધીની પૂછપરછ અને તપાસ દરમ્‍યાન જાણવા મળેલ કે ટ્રકનો ચાલક અંસાર અજીમુલ્લા ખાન રહેવાસી-વાપી, જે વાપીથી નાશિક તરફ જઈ રહ્યો હતો જેની લાશ આરોપીઓએ નાશિક રોડ પર સડકની કિનારે ફેંકી દીધી હતી. આ ઘટના અંગેની વધુ તપાસ પી.આઈ. હરેશસિંહ રાઠોડને સોપવામાં આવી હતી. પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ગળું દબાવીને હત્‍યા કરાઈ હોવાનું બહાર આવ્‍યું હતું. ટ્રકમાંથી મળી આવેલ ચાલકની હત્‍યા કર્યા બાદ માલસામાન સહીત ટ્રકની ચોરી કરવામાં આવી હતી. જેથી આઈપીસી 302, 394, 201 મુજબ આરોપી સચિન રંજીત ઢકને અને વિકાસ અજીનાથ બડે વિરુદ્ધગુનામાં કલમ 34 જોડવામાં આવી હતી. આ કેસને દાનહના જિલ્લા સત્ર ન્‍યાયાલયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ત્‍યારબાદ સુનાવણી દરમ્‍યાન તપાસમાં સાક્ષીઓના નિવેદનોના આધારે તેમજ પુરાવાના આધારે એડવોકેટ નિપુણ રાઠોડની ધારદાર દલીલના આધારે સત્ર ન્‍યાયાધીશ શ્રી એસ.એસ.અડકરે બન્ને આરોપીઓને આઇપીસીની કલમ 302, 392 અને 201, 34 મુજબ આજીવન કેદની સખત સજા સંભળાવી હતી.

Related posts

મિશન 2024ને નજર સમક્ષ રાખી આજે દીવ ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીઃ યોગ્‍ય દાવેદારની પસંદગી માટે ભાજપ મોવડી મંડળે રાત સુધી શરૂ કરેલો મંત્રણાનો દૌર

vartmanpravah

ધરમપુર આરએસએસદ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું

vartmanpravah

ચીખલીનાં મજીગામમાં રાત્રીના દીપડો દેખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

દાનહના ઊંડાણના વિસ્‍તારોમાંથી દરરોજ રોજીરોટી માટે સેલવાસ આવતા રોકડિયા મજૂરોની યુવા નેતા સની ભીમરાએ સાંભળેલી વ્‍યથા

vartmanpravah

દૂધની ગ્રામ પંચાયતમાં મનરેગાના વિકાસ કામોનું કરાયું સોશિયલ ઓડિટઃ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ

vartmanpravah

દાનહના રખોલી ગ્રા.પં.ના સરપંચ ચંદનબેન પટેલે ચાલ માલિકોને સાફસફાઈની બાબતમાં તકેદારી રાખવા આપેલી સૂચના

vartmanpravah

Leave a Comment