April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલન યોજાયું

સંઘપ્રદેશ થ્રીડીને પોતાની યુનિવર્સિટી મળે તે માટે પસાર કરાયેલો ઠરાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.01
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ દ્વારા આજે ‘વિદ્યાર્થી હુંકાર’ જિલ્લા વિદ્યાર્થી સંમેલન, દમણના ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે યોજવામાં આવ્‍યું હતું. જેમાં દમણ, સેલવાસાની વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓના વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સંમેલનમાં વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓના વિદ્યાર્થી નેતાઓના વક્‍તવ્‍યો રજૂ કરવામાં આવ્‍યા હતા. આ ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલનમાં સંઘપ્રદેશ 3ડીને પોતાની યુનિવર્સિટી મળે તે માટે ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો.
જેને વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓના વિદ્યાર્થીઓએ આપ્રસ્‍તાવને આવકાર્યો હતો. આ દરખાસ્‍ત આગામી દિવસોમાં વહીવટી તંત્રને એક મેમોરેન્‍ડમ હેઠળ રજૂ કરવામાં આવશે. આ ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલનમાં એબીવીપી ગુજરાત રાજ્‍યના મંત્રી સુશ્રી યુતિબેન પ્રદીપ, અને શ્રી કેવિનભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા દ્વારા વિદ્યાર્થીઓને નોટબૂક તથા યુનિફોર્મ વિતરણ કરાયા

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં ‘કિશોરાવસ્‍થાની સમસ્‍યાઓ અને ઉકેલો’ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

દાદરા ગામે ફેક્‍ટરી દ્વારા કરાયેલું ગેરકાયદેસર દબાણ દુર કરાયું

vartmanpravah

દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે બજાવેલો રાજધર્મઃ અન્‍ય સરપંચો માટે પણ પ્રેરણારૂપ

vartmanpravah

નવસારી જિલ્લાના જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીનો અંધેર વહીવટ :અરજીઓનો સમય વિતવા છતાં વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટે અરજદારોએ ધક્કા ખાવાની પડેલી નોબત

vartmanpravah

વાપી-ગાંધીનગર-મહેસાણા વધુ બે ટ્રેન સેવા અગામી ડિસેમ્‍બર તા.24 – જાન્‍યુઆરી તા.04 થી કાર્યરત થશે

vartmanpravah

Leave a Comment