હવેલીના પ.પૂ.પાદ 108 શ્રીગોવિંદરાયના માર્ગદર્શન હેઠળ આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: વાપી છરવાડા રોડ નજીક આવેલ ભક્તિસેતુ હવેલી દ્વારા રામકથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. તા.25 એપ્રિલથી શરૂ થયેલી સપ્તાહ 3 મે સુધી ચાલનાર છે. દરરોજ હજારો ભાવિકો દરરોજ રામકથા સપ્તાહનો લાભ લઈ રહ્યા છે.
ભક્તિસેતુ હવેલીના પ.પૂ.પાદ-108 શ્રી ગોવિંદરાયના માર્ગદર્શન હેઠળ સપ્તાહ યોજાઈ છે. વ્યાસપીઠ ઉપર શાષાી આચાર્ય મનીષકૃષ્ણ ચતુર્વેદ મથુરા બીરાજમાન થઈને કથા રસપાન કરાવી રહ્યા છે. શ્રી રામકથા બપોરે 3 થી સાંજે 7 વાગ્યા દરમિયાન ચાલે છે. કથાના 5મા દિવસે લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા. ગુજરાતને જાણીતા હાસ્ય કલાકાર પદ્મશ્રી ડો.જગદિશ ત્રિવેદીનો રામદરબારમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી મનોરંજન માણ્યું હતું.