October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મૃગમાળ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પુનઃ સ્‍થાપિત શિક્ષકને ત્રણ દિવસ શાળામાં હાજર ન કરતા વલસાડ કલેક્‍ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ધરમપુર તાલુકાની મૃગમાળ પ્રાથમિક શાળામાં નિલેશકુમાર જગુભાઈ પટેલ ઉ.શિ. પ્રા.શાળા મૃગમળ, તા.ધરમપુર, જિ.વલસાડને મૃગમાળ પ્રાથમિક શાળાના આચાર્યએ હાજર કરેલ નથી. આચાર્યએ એસએમસી કમિટીના સભ્‍યોને ગેરમાર્ગે દોરી શાળામાં ત્રણ દિવસ સુધી તાળાબંધી કરાવેલ હતી.
ધરમપુર તાલુકાની મૃગમાળ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5 નિલેશકુમાર જગુભાઈ પટેલ ઉ.શિ પ્રાથમિક શાળામાં હાજર થવા ગયો ત્‍યારે તા.14/02/2024 ના દિને સંપુર્ણ દિવસ શાળાની ઓફિસમાં મને બેસાડી રાખ્‍યો હતો અને શાળાના સમય બાદ લેખિતપત્ર આપ્‍યો કે તમને શાળાના એસએમસી કમિટીના સભ્‍યાએ હાજર કરવાની ના પાડી છે. પરંતુ હાજર ન કરવાનું કોઈજ કારણ દર્શાવેલ નથી. બીજા દિવસે તા.15/02/2024 ના દિને 10.15 કલાક થી 5.00 સુધી શાળાના મુખ્‍ય ગેટ આગળ હાજર રહ્યો ત્‍યારે શાળાના ગેટ પર એસએમસી કમિટીના સભ્‍યો દ્વારા તાળું મારી માનસિક રીતે પરેશાન કરવામાં આવ્‍યો હતો. તા.15/02/2024 ના દિનેધરમપુર તાલુકાના ટીપીઈઓ તપાસ અર્થે મૃગમાળ પ્રાથમિક શાળામાં આવેલ હતા. કોઈપણ નિવેદન લેવામાં આવ્‍યું ના હતુ. ત્રીજા દિવસે તા.16/02/2024 ના દિને પણ સવારે 10.15 કલાકે શાળામાં હાજર થવા ગયો હતો છતા પણ શાળાના આચાર્ય તથા એસએમસી કમિટીના સભ્‍યો મળીને શાળાના ગેટને તાળું મારી દેવામાં આવ્‍યું હતું.
પ્રાંત અધિકારી દ્વારા શાળાના મુખ્‍ય ગેટનું તાળુ ખોલાવી નિવેદન શાળાના આચાર્ય તથા એસએમસી કમિટીના સભ્‍યોના નિવેદન લેવામાં આવ્‍યા હતા. તા.16/02/2024ના દિને બપોર પછી 4.30 કલાકે જાણ કરવામાં આવી કે વલસાડ જિલ્લા પંચાયત કચેરીએ હાજર રહેવાનો હુકમ કરવામાં આવ્‍યો છે.
વલસાડ જિલ્લા ડીપીઈઓ જિલ્લાની વધુ ઘટવાળી શાળામાં ફરી બદલી હુકમ કરી શકે છે ? એક ભુલની સજા કેટલી વખત આપવા માંગે છે ? માનસિક રીતે પરેશાન કરવામાં આવે છે ? જેની સઘન તપાસ કરવા વિનંતી કરી છે.
ફરી સજાના ભાગ રૂપે દુર્ગમ વિસ્‍તારમાં પુનઃસ્‍થાપનનો હુકમ કરવામાં આવશે તો ન્‍યાય મેળવવા ગાંધી ચીંધ્‍યા માર્ગે વલસાડ જિલ્લા પંચાયતની કચેરીની સામે ઉપવાસ પર ઉતરવા નિર્ણય કર્યો છે.
પુનઃસ્‍થાપિત પ્રાથમિક શાળામાં અથવા યોગ્‍ય શાળામાં હાજર કરવા યોગ્‍ય કાર્યવાહી હાથ ધરવા શિક્ષણમંત્રી ગુજરાત રાજ્‍ય ગાંધીનગર, નિયામક ગુજરાતરાજય સચિવાલય ગાંધીનગરને જાણ કરવામાં આવી છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્‍યોતિરાદિત્‍ય સિંધિયાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પ્રધાનમંત્રીનરેન્‍દ્રભાઈ મોદીને આવકારવા દમણમાં યોજાયો અભૂતપૂર્વ રોડ શો

vartmanpravah

વલસાડ જિલ્લા ટેબલ ટેનિસની સ્‍પર્ધામાં જ્ઞાનધામ સ્‍કૂલનો વિદ્યાર્થી પ્રથમ વિજેતા બન્‍યો

vartmanpravah

ચીખલી પંથકમાં રખડતા ઢોરોનો દિવસને દિવસે વધી રહેલો ત્રાસઃ તંત્ર સક્રિય થાય તે જરૂરી

vartmanpravah

મહેસાણા વડસ્‍મા સત્‍સંગ સાકેતધામ ઈન્‍સ્‍ટિટયૂટની ઘટના : વલસાડ કચીગામની યુવતીની ફાર્મસી કોલેજમાં સહાધ્‍યાયીએ કરેલી હત્‍યાઃ આરોપીની ધરપકડ

vartmanpravah

નવસારી જેસીઆઈ દ્વારા ‘જેસીઆઈ વીક’ની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment