(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.31: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે લખનૌ ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્ય નાથ સાથે મુલાકાત કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે વિવિધ વિષયો ઉપર ચર્ચા-વિચારણાં કરી હતી. મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્ય નાથે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને ઉત્તર પ્રદેશ રાજ્યના એક જનપદ એક ઉત્પાદ હેઠળ સ્મૃતિ ભેટ પણ આપી હતી.