Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સાયલીની આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં લાગેલી આગઃ કોઈ જાનહાની નહીં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: દાદરા નગર હવેલીના સાયલી સ્‍થિત આલોક ઇન્‍ડસ્‍ટ્રીઝમાં કોઈક કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના સાયલી ગામમાં રખોલી રોડ નજીક આવેલી આલોક ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્‍લાન્‍ટના પાછળના ભાગે ધુમાડો નીકળતા જોવા મળ્‍યો હતો અને જોતજોતામાં આગની જવાળાઓ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગના કારણે તમામ કર્મચારીઓ, કામદારોકંપનીની બહાર દોડી આવ્‍યા હતા અને ફાયર ઇક્‍વિપમેન્‍ટ દ્વારા આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રૌદ્ર રૂપ ધારણ કરેલ આગ કાબુમાં આવી નહોતો. ત્‍યારબાદ આવતા ફાયર ફાઈટર વિભાગને ફોન કરતા સેલવાસ અને ખાનવેલની ફાયર ફાઈટરોની ટીમ આવી પહોંચી હતી અને એક-બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્‍યો હતો. આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

Related posts

આહવા ખાતે પાંચ દિવસીય ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ

vartmanpravah

સરકારી અનાજના ગોડાઉન ઉપર અનાજનો જથ્‍થો નહીં આવતા નવસારી જિલ્લામાં હજારો રેશનકાર્ડ ધારકો છેલ્લા પાંચ માસથી તુવેરદાળથી વંચિત

vartmanpravah

..સાવ ઓછા પ્રયત્‍નમાં જ દાદરા સામ્‍યવાદીઓના હાથમાં આવી ગયું

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં આજે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ઓબીસી મોર્ચા દ્વારા ભગવાન વિશ્વકર્માની મહાપૂજાનું આયોજન: વિશાળ બાઈક રેલી પણ યોજાશે

vartmanpravah

વલસાડ લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર મુસાફરો ભરેલો ટેમ્‍પો પલટી મારી ગયો : મુસાફરોને નાની મોટી ઈજા

vartmanpravah

સ્‍વ.એન.આર. અગ્રવાલની પુણ્‍યતિથિએ વાપી-સરીગામમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment