September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સાયલીની આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં લાગેલી આગઃ કોઈ જાનહાની નહીં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: દાદરા નગર હવેલીના સાયલી સ્‍થિત આલોક ઇન્‍ડસ્‍ટ્રીઝમાં કોઈક કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના સાયલી ગામમાં રખોલી રોડ નજીક આવેલી આલોક ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્‍લાન્‍ટના પાછળના ભાગે ધુમાડો નીકળતા જોવા મળ્‍યો હતો અને જોતજોતામાં આગની જવાળાઓ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગના કારણે તમામ કર્મચારીઓ, કામદારોકંપનીની બહાર દોડી આવ્‍યા હતા અને ફાયર ઇક્‍વિપમેન્‍ટ દ્વારા આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રૌદ્ર રૂપ ધારણ કરેલ આગ કાબુમાં આવી નહોતો. ત્‍યારબાદ આવતા ફાયર ફાઈટર વિભાગને ફોન કરતા સેલવાસ અને ખાનવેલની ફાયર ફાઈટરોની ટીમ આવી પહોંચી હતી અને એક-બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્‍યો હતો. આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

Related posts

ધરમપુરના આંબોસી ભવઠાણ ગામમાં સંકલ્‍પ યાત્રા આવી પહોંચતા ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરાયું

vartmanpravah

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનિયર સીટીઝ અને મહિલા મંડળના સહયોગથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબા યોજાયા

vartmanpravah

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સ્‍ટાર્ટઅપ પોલિસી અંગે સફળ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડમાં રાખી અને હસ્તકળા મેળાનો શુભારંભ કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં 25 નવે.થી 10 ડિસે. સુધી ‘‘મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણી થશે

vartmanpravah

સમગ્ર દમણ રામમય બન્‍યુ : ભગવાન રામની શોભાયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ: ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું કરાયેલું સન્‍માન : રામરાજ્‍યના જયઘોષની આહલેખ

vartmanpravah

Leave a Comment