Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દુણેઠા સ્‍થિત જવાહર નવોદય શાળાના વિદ્યાર્થીએ અગમ્‍ય કારણોસર ફાંસી લગાવી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: દુણેઠા સ્‍થિત જવાહર નવોદય શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીએ આજે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું હોવાની ઘટના પ્રકાશમાં આવીછે.
પ્રાપ્ત માહિતી મુજબ નાની દમણના ખારીવાડ ખાતે રહેતા સત્‍યમ શર્મા દુણેઠાની જવાહર નવોદય શાળામાં ધોરણ 12માં અભ્‍યાસ કરે છે, જેમણે આજે મંગળવારે શાળાના ઓરડામાં કોઈક અગમ્‍ય કારણોસર ગળે ફાંસો લગાવી હતી. ફાંસીએ લટકી રહેલા સત્‍યમ ઉપર શાળા પ્રશાસનના કર્મચારીઓની નજર પડતા તેઓએ દમણ પ્રશાસનના અધિકારીઓની મદદથી ફાંસી ઉપરથી ઉતારી હોસ્‍પિટલમાં લઈ ગયા હતા જ્‍યાં ફરજ ઉપરના તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.
ઘટનાની ખબર મળતાં દમણ પોલીસની ટીમ સ્‍થળ ઉપર પહોંચી હતી અને લાશને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી લીધી હતી. વિદ્યાર્થીએ કયા કારણોસર આત્‍મહત્‍યા કરી તેનું કારણ જાણવા મળ્‍યું નથી. આગળની વધુ તપાસ દમણ પોલીસ કરી રહી છે.

Related posts

ભીલાડ નજીકના ડેહલી ગુલશન નગરમાંથી ગૌવંશ કતલખાનું ઝડપાયું

vartmanpravah

વાપીમાં કરૂણામૂર્તિ મહાવીર ભગવાનની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી : શોભાયાત્રામાં તમામ ફીરકા જોડાયા

vartmanpravah

ડીપીએલમાં શિવશક્‍તિ લાયન્‍સ ટીમનામાલિક અને સોમનાથ-એના જિ.પં.સભ્‍ય રીનાબેન હરીશભાઈ પટેલે ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનાર ખેલાડીને સ્‍પ્‍લેન્‍ડર બાઈકનો આપેલો પુરસ્‍કાર

vartmanpravah

વાપી સી ટાઈપમાંથી કારની ઉઠાંતરી

vartmanpravah

વલસાડમાં તા.28 નવેમ્‍બર થી ત્રિદિવસીય રણભૂમિ રમત મહોત્‍સવનો પ્રારંભ થશેઃ તા.23 નવેમ્‍બર સુધી રજિસ્‍ટ્રેશન કરાવી શકાશે

vartmanpravah

નવસારી જિલ્લા વિકાસ અધિકારીની અધ્‍યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment