October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દુણેઠા સ્‍થિત જવાહર નવોદય શાળાના વિદ્યાર્થીએ અગમ્‍ય કારણોસર ફાંસી લગાવી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: દુણેઠા સ્‍થિત જવાહર નવોદય શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીએ આજે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું હોવાની ઘટના પ્રકાશમાં આવીછે.
પ્રાપ્ત માહિતી મુજબ નાની દમણના ખારીવાડ ખાતે રહેતા સત્‍યમ શર્મા દુણેઠાની જવાહર નવોદય શાળામાં ધોરણ 12માં અભ્‍યાસ કરે છે, જેમણે આજે મંગળવારે શાળાના ઓરડામાં કોઈક અગમ્‍ય કારણોસર ગળે ફાંસો લગાવી હતી. ફાંસીએ લટકી રહેલા સત્‍યમ ઉપર શાળા પ્રશાસનના કર્મચારીઓની નજર પડતા તેઓએ દમણ પ્રશાસનના અધિકારીઓની મદદથી ફાંસી ઉપરથી ઉતારી હોસ્‍પિટલમાં લઈ ગયા હતા જ્‍યાં ફરજ ઉપરના તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.
ઘટનાની ખબર મળતાં દમણ પોલીસની ટીમ સ્‍થળ ઉપર પહોંચી હતી અને લાશને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી લીધી હતી. વિદ્યાર્થીએ કયા કારણોસર આત્‍મહત્‍યા કરી તેનું કારણ જાણવા મળ્‍યું નથી. આગળની વધુ તપાસ દમણ પોલીસ કરી રહી છે.

Related posts

પારડી-કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચકતા થઈ ફળીભૂત: છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતી દિપડી પાંજરે પુરાઈ

vartmanpravah

દીવમાં અગ્નિશમન દિવસ નિમિત્તે ‘અગ્નિશમન સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ વાપી ગ્રેટરના હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં નોડલ અધિકારીઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

ચૂંટણી વિભાગ દ્વારા 1.25 કરોડ રોકડા અને 11 લાખનો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

દાભેલ ગ્રા.પં.ના પંચાયત ઘરનું થનારૂં નવીનિકરણઃ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષના સમારકામનો પણ પ્રસ્‍તાવ

vartmanpravah

Leave a Comment