September 6, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ શહેરમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: વલસાડના જાયન્‍ટ્‍સ ગ્રૂપ દ્વારા વલસાડના સર્કિટ હાઉસની બાજુમાં ભીલાડવાલા બેંકના ઓટલા પર તથા સાંઈલીલા મોલની બાજુમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ દર મહિનાના પહેલા રવિવાર મુજબ તા.5 માર્ચના રોજ યોજાયો હતો. સવારે 7.30 થી 9.30 દરમ્‍યાન યોજાયેલા આ કાર્યક્રમમાં 128 પુસ્‍તકો વાચકો લઈ ગયા હતા અને 150થી વધુ લોકોએ પુસ્‍તક પરબની મુલાકાત લીધી હતી. જા.પ્રમુખ ડૉ. આશા ગોહિલ, જા.દેવરાજ કરડાણી જા.હાર્દિક પટેલ, જા. હંસા પટેલ, જા. અર્ચના ચૌહાણ, જા.જયંતીભાઈ મિષાી, જા.ડૉ.વિલ્‍સન મેકવાનની જા.શિલ્‍પા ઠાકોર તથા અન્‍ય સભ્‍યોની મદદથી આ કાર્યક્રમ દ્વારા વલસાડ શહેરના પુસ્‍તક વાંચનારાઓને પુસ્‍તકો મળી રહ્યા છે. વિવિધ વ્‍યવસાય સાથે જોડાયેલા નાના-મોટા દરેક વયના લોકો આપુસ્‍તક પરબની મુલાકાત લઈ વાંચન તરફ વધુને વધુ ઢળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પુસ્‍તક પરબનો આ 12મો મણકો હતો.

Related posts

ચીખલી તાલુકામાં પૂરથી કેળના પાકને થયેલ ભારે નુકસાન અંગે વળતર ચૂકવવા ઉઠેલી માંગ

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ એ.પી.અબ્‍દુલ્લા કુટ્ટીએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણથી થતા નુકસાનના પ્રશ્નો ઉઠાવ્‍યા

vartmanpravah

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

vartmanpravah

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

vartmanpravah

Leave a Comment