Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

આખરે વાપી જીઆઈડીસીના ઓવરહેડ ટાવરોની લાઈન હટાવવાની કામગીરી શરૂ

થર્ડ ફેઈઝમાં લાંબા સમયથી પેન્‍ડીંગ ટાવર નં.17 થી 34 સહિત ઓવરહેડ ટાવર હટાવાશે : પુષ્‍કળ જગ્‍યા ખાલી થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05
વાપી જીઆઈડીસીમાં થર્ડ ફેઈઝ વિસ્‍તારમાં ડી.જી.વી.સી.એલ.ના તોતીંગ ઓવરહેડ ટાવરોની હારમાળા પથરાયેલી છે. ટાવર નં.17 થી 34 સુધી ટાવર તોડી પાડવાની રજૂઆત વી.આઈ.એ. દ્વારા પાછલા 10 વર્ષથી કરાતી હતી. અંતે વી.આઈ.એ.માં થોડા સમય પહેલા વી.આઈ.એ. અને ઉર્જા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાથે મળેલી રિવ્‍યુ બેઠકમાં લેવાયેલ નિર્ણયની અસર ગુરુવારે થઈ હતી. રોડ ઉપરના ટાવરો તોડી પાડવાની કામગીરીનો આરંભ થયો છે.
વાપી થર્ડફેઈઝમાં ડીજીવીસીએલના ટાવર નં.17 થી 34 સુધીની હારમાળા પથરાયેલી છે અને પુસ્‍કળ પ્રમાણમાં જમીન રોકાયેલી છે તેથી વી.આઈ.એ. ટાવર હટાવવાની વિનંતી અને લડત ચલાવી રહેલ. તે અંતર્ગત વી.આઈ.એ.માં નાણા-ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનીઅગ્રતામાં યોજાયેલ રિવ્‍યુ બેઠકમાં એડવાઈઝરી બોર્ડ વી.આઈ.એ. તથા સેક્રેટરી સતિષ પટેલ, યોગેસ કાબરીયા, મિલન દેસાઈ, હેમંત પટેલ અને રોહીત સોનપુરા ટીમ વી.આઈ.એ.ની રજૂઆતનો અંત આવ્‍યો છે. ગુરુવારથી થર્ડ ફેઈઝના ઓવરહેડ ટાવરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અંડર ગ્રાઉન્‍ડ કેબલીંગનું કામ અંતિમ તબક્કામાં છે તેથી ટાવરો નિરર્થક પુરવાર થવાના હતા તેથી વસાહતમાં સારી એવી જમીન ટાવરોમાં દબાણ હેઠળ હતી તે છુટી થશે અને મોકલાશ વધશે.
——

Related posts

વાપીમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના ગુંજન જનસંપર્ક કાર્યાલયમાં પૂર્વ વડા પ્રધાનમંત્રી વાજપેયીની 100મી જન્‍મજ્‍યંતી ઉજવણી ઉજવાઈ

vartmanpravah

સુધીર ફડકેએ 1954માં દાનહ મુક્‍તિનો હેતુ મનમાં રાખીને સ્‍થાનિક અગ્રગણ્‍ય લોકોને પરિચય કેળવવા ત્‍યાં એક થી વધુ સંગીત કાર્યક્રમો પણ કર્યા હતા

vartmanpravah

પારડી તાલુકાના ટૂકવાડા-મોરાઈ ગામ ખાતે બની ગોઝારી ઘટના: કોલક નદીમાં ન્‍હાવા આવેલા વાપીના 6 સગીરો પૈકી પાંચને બચાવાયા, એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

મનપા ઉધનાઝોનમાં ગેરકાયદે બાંધકામની ભલામણ મુદ્દે કોર્પોરેટરો બે જૂથમાં

vartmanpravah

‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત સમારંભમાં દમણના વરિષ્‍ઠ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલે આપેલું જોશપૂર્ણ ભાષણઃ આદિવાસી સમાજમાં શરૂ થયેલુંશિક્ષણનું ચિંતનઃ ઉજ્જવળ ભવિષ્‍યનું મંથન

vartmanpravah

ચીખલી-વાંસદા માર્ગ ઉપર થાલામાં નડતરરૂપ વીજ પોલ ન ખસેડાતા વાહન વ્યવહારમાં અવરોધ સાથે અકસ્માતની સેવાઈ રહેલી ભીતિ

vartmanpravah

Leave a Comment