April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

આખરે વાપી જીઆઈડીસીના ઓવરહેડ ટાવરોની લાઈન હટાવવાની કામગીરી શરૂ

થર્ડ ફેઈઝમાં લાંબા સમયથી પેન્‍ડીંગ ટાવર નં.17 થી 34 સહિત ઓવરહેડ ટાવર હટાવાશે : પુષ્‍કળ જગ્‍યા ખાલી થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05
વાપી જીઆઈડીસીમાં થર્ડ ફેઈઝ વિસ્‍તારમાં ડી.જી.વી.સી.એલ.ના તોતીંગ ઓવરહેડ ટાવરોની હારમાળા પથરાયેલી છે. ટાવર નં.17 થી 34 સુધી ટાવર તોડી પાડવાની રજૂઆત વી.આઈ.એ. દ્વારા પાછલા 10 વર્ષથી કરાતી હતી. અંતે વી.આઈ.એ.માં થોડા સમય પહેલા વી.આઈ.એ. અને ઉર્જા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાથે મળેલી રિવ્‍યુ બેઠકમાં લેવાયેલ નિર્ણયની અસર ગુરુવારે થઈ હતી. રોડ ઉપરના ટાવરો તોડી પાડવાની કામગીરીનો આરંભ થયો છે.
વાપી થર્ડફેઈઝમાં ડીજીવીસીએલના ટાવર નં.17 થી 34 સુધીની હારમાળા પથરાયેલી છે અને પુસ્‍કળ પ્રમાણમાં જમીન રોકાયેલી છે તેથી વી.આઈ.એ. ટાવર હટાવવાની વિનંતી અને લડત ચલાવી રહેલ. તે અંતર્ગત વી.આઈ.એ.માં નાણા-ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનીઅગ્રતામાં યોજાયેલ રિવ્‍યુ બેઠકમાં એડવાઈઝરી બોર્ડ વી.આઈ.એ. તથા સેક્રેટરી સતિષ પટેલ, યોગેસ કાબરીયા, મિલન દેસાઈ, હેમંત પટેલ અને રોહીત સોનપુરા ટીમ વી.આઈ.એ.ની રજૂઆતનો અંત આવ્‍યો છે. ગુરુવારથી થર્ડ ફેઈઝના ઓવરહેડ ટાવરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અંડર ગ્રાઉન્‍ડ કેબલીંગનું કામ અંતિમ તબક્કામાં છે તેથી ટાવરો નિરર્થક પુરવાર થવાના હતા તેથી વસાહતમાં સારી એવી જમીન ટાવરોમાં દબાણ હેઠળ હતી તે છુટી થશે અને મોકલાશ વધશે.
——

Related posts

વાપી બલીઠા રેલવે પાટા ઉપરથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : મૃતક વોર્ડ નં.7 ભાજપ બુથ પ્રમુખ હતો

vartmanpravah

ચીખલીના ખૂંધ ગામે આદર્શ નિવાસી શાળામાં 40 જેટલી વિદ્યાર્થીનીઓ અચાનક તબિયત લથડી

vartmanpravah

નાના ખેડૂતોના કૃષિ ઉદ્યોગ સંઘ અને જિલ્લા ખેતીવાડી સંઘના સંયુક્‍ત ઉપક્રમે પારડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજની વિદ્યાર્થીનીઓ ફૂટબોલમાં ઝળકી

vartmanpravah

નરોલી રાજપૂત સમાજ પ્રાર્થના ભવન ખાતે તલવારબાજી તાલીમનું કરાયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના મોટાભાગના લોકોને વિકાસ કોને કહેવાય તેની સમજ જ નથી

vartmanpravah

Leave a Comment