Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી શાક માર્કેટમાં ડિમોલેશન બાદ નવિન રોડ બનાવવાની કામગીરી ઠપ : સેંકડો લોકો અટવાઈ રહ્યા છે

સાંકડી જગ્‍યામાં શાકભાજી વેપારી એકત્ર થઈ વેચાણ કરી રહ્યા છે. લોકો હરી ફરી પણ શકતા નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી જુના શાકભાજી માર્કેટમાં ગેરકાયદે દબાણો ખુબ થઈ ગયા હોવાથી રોડ પહોળો કરવા માટે નગરપાલિકાએ ડિમોલેશન કાર્યવાહી થોડા સમય પહેલાં કરી હતી ત્‍યારે મોટો હોબાળો પણ થયો હતો. ઘણા જુના જોગીઓની ગરાસ લૂંટાઈ હતી તેથી ભારે બુમાબુમ કરી હતી. ડિમોલિશન બાદ પાલિકા દ્વારા નવો પહોળો રોડ બનાવવાની ફક્‍ત વાતોજ કરી હોય એવુ લાગે છે. હજુ સુધી રોડ બનાવાના કોઈ ઠેકાણા દેખાતા નથી.
વાપી જુના શાકમાર્કેટમાં ડિમોલિશન બાદ રોડ પહોળો કરાયો છે. દબાણો હટી ગયા છે. તેથી અહીં વેપાર ધંધો કરતા શાકભાજીના વેપારી આગળના ભાગે મચ્‍છી માર્કેટ પાસે ઘીચતામાં ફરી ગોઠવાઈ ગયા છે તેથી અવર જવરની પારાવાર મુશ્‍કેલી પડે છે. સાંકડી જગ્‍યામાં કીડીયા ઘરની જેમ માણસો ઉભરાઈ રહ્યા છે તેથી અસામાજીક તત્‍વોને ખુલ્લુ મેદાન મળી ગયું છે. જ્‍યાં ડિમોલિશન કરાયું છે તે જગ્‍યાએ હજુ સુધી રોડ બનાવવાની ફુરસદ પાલિકાને મળી નથી. એટલે સરવાળે તો આમ જનતા જ હેરાન થઈ રહી છે.

Related posts

દાનહના નવનિયુક્‍ત કલેક્‍ટર પ્રિયાંક કિશોરે વિવિધ વિકાસ કાર્યોની લીધેલી મુલાકાત

vartmanpravah

આજથી સંઘપ્રદેશના અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરોના ત્રણ દિવસ અગિ્ન પરિક્ષાના રહેશે

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમ ખરા અર્થમાં પ્રજાના પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવનાર સાબિત થયોઃ વલસાડના બે અરજદારનો જૂનો પ્રશ્ન ત્‍વરિત ઉકેલાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ નાની દમણ જેટી ખાતે અરબી સમુદ્ર અને દમણગંગા નદીના સંગમ તટ ઉપર નિર્માણ પામી રહેલા સમુદ્ર નારાયણ ભગવાનમંદિરના શિખરની શાષાોક્‍ત વિધિ-વિધાનથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

વલસાડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની હોકી નેશનલ ચેમ્‍પિયનશીપમાં પસંદગી

vartmanpravah

દમણ જિલ્લામાં જળ, જમીન અને જંગલના જયજયકાર સાથે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment