(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: કૌશિક હરીયા એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત કૌશિક હરીયા ટેક્નિકલ સેંટર (આઈ.ટી.આઈ.) ખાતે સ્વ.કૌશિકભાઈ કાન્તીભાઈ હરીયાની તા.01-05-2023ના રોજ 34મી પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત ટ્રસ્ટીઓ તથા સ્ટાફ અને તાલીમાર્થીઓએ ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ દરેક તાલીમાર્થીઓને બુંદી-ગાંઠીયાના પેકેટનું વિતરણ કરેલ છે. તદ ઉપરાંત કૌશિક કાન્તીભાઈ હરીયા સ્કૂલ કરવડ ખાતે પણ દરેક વિદ્યાર્થીને બુંદી-ગાંઠીયાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.