December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ પ્રશાસન દ્વારા ટ્રાન્‍સપોર્ટનગરના નિર્માણ માટે બાધારૂપ 3 ઝૂંપડાઓનું કરાયું ડિમોલીશન: ત્રણ પરિવારો ઘરવિહોણાં બન્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલી પ્રશાસનના મહેસૂલ વિભાગની ટીમ દ્વારા સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના દયાત ફળિયામાં સ્‍થિત ત્રણ ઝુંપડાઓનું સામા ચોમાસે ડિમોલિશન કરી દેતાં ત્રણ પરિવારના સભ્‍યો બેઘર બની ગયા છે. સેલવાસ મામલતદાર સહિત ટીમે ડિમોલીશન કરી દેતાં આ પ્રકરણ દાદરા નગર હવેલીમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્‍યું છે.
મળતી માહિતી પ્રમાણે દાનહ પ્રશાસન દ્વારા વર્ષ-2007માં ટ્રાન્‍સપોર્ટ નગરના નિર્માણ માટે આ જગ્‍યાની પસંદગી કરવામાં આવી હતી. અહીં અંદાજીત 40થી વધુ પરિવારો તેમના બાપ-દાદાના સમયથી આ જગ્‍યા પર રહેતા આવે છે, જેઓને તે સમયે સરકારના નિયમો મુજબ વળતર આપી જગ્‍યા ખાલી કરવા માટે જણાવેલ હતું, પરંતુ તે સમયે અહીં જે સ્‍થાનિકો રહેતા હતા તેઓએ આ જગ્‍યા છોડવાનો ઇન્‍કાર કર્યો હતો. પરંતુ ટ્રાન્‍સપોર્ટ નગરના નિર્માણ માટે આ જગ્‍યા જરૂરી હોવાથી પ્રશાસન દ્વારા ઝૂંપડા હટાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દયાત ફળિયાના ત્રણ ઝૂંપડામાં રહેતા આદિવાસીપરિવારોને પ્રશાસન દ્વારા વારંવાર વૈકલ્‍પિક જગ્‍યાએ સ્‍થળાંતર કરવાની સુચના આપી હતી, પરંતુ તેઓએ આ સ્‍થળ છોડવાનો ઈન્‍કાર કર્યો હતો. જેના કારણે આજે સેલવાસના મામલતદારશ્રીના નેતૃત્‍વમાં આ દબાણ હટાવવાનું કાર્ય કરવામાં આવ્‍યું હતું.

Related posts

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ : વિવિધ સ્‍કૂલોના બાળકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

કપરાડાના માની ગામે તાજી વિયાયેલી ગાયનું દૂધ પીતા પરિવારના 10 સભ્‍યોને ફુડ પોઈઝનિંગ થયું

vartmanpravah

વલસાડમાં ગૌણ સેવા પસંદગી પરીક્ષાના પેપર લીક મામલે ‘આમ આદમી પાર્ટી’એ કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

ખેતીવાડી-ઉદ્યોગો અને પ્રજા માટે જીવાદોરી સમાન ગણાતો વલસાડનો મધુબન ડેમ છલકાતા મન મોહક બન્‍યો

vartmanpravah

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

vartmanpravah

Leave a Comment