Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ પ્રશાસન દ્વારા ટ્રાન્‍સપોર્ટનગરના નિર્માણ માટે બાધારૂપ 3 ઝૂંપડાઓનું કરાયું ડિમોલીશન: ત્રણ પરિવારો ઘરવિહોણાં બન્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલી પ્રશાસનના મહેસૂલ વિભાગની ટીમ દ્વારા સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના દયાત ફળિયામાં સ્‍થિત ત્રણ ઝુંપડાઓનું સામા ચોમાસે ડિમોલિશન કરી દેતાં ત્રણ પરિવારના સભ્‍યો બેઘર બની ગયા છે. સેલવાસ મામલતદાર સહિત ટીમે ડિમોલીશન કરી દેતાં આ પ્રકરણ દાદરા નગર હવેલીમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્‍યું છે.
મળતી માહિતી પ્રમાણે દાનહ પ્રશાસન દ્વારા વર્ષ-2007માં ટ્રાન્‍સપોર્ટ નગરના નિર્માણ માટે આ જગ્‍યાની પસંદગી કરવામાં આવી હતી. અહીં અંદાજીત 40થી વધુ પરિવારો તેમના બાપ-દાદાના સમયથી આ જગ્‍યા પર રહેતા આવે છે, જેઓને તે સમયે સરકારના નિયમો મુજબ વળતર આપી જગ્‍યા ખાલી કરવા માટે જણાવેલ હતું, પરંતુ તે સમયે અહીં જે સ્‍થાનિકો રહેતા હતા તેઓએ આ જગ્‍યા છોડવાનો ઇન્‍કાર કર્યો હતો. પરંતુ ટ્રાન્‍સપોર્ટ નગરના નિર્માણ માટે આ જગ્‍યા જરૂરી હોવાથી પ્રશાસન દ્વારા ઝૂંપડા હટાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દયાત ફળિયાના ત્રણ ઝૂંપડામાં રહેતા આદિવાસીપરિવારોને પ્રશાસન દ્વારા વારંવાર વૈકલ્‍પિક જગ્‍યાએ સ્‍થળાંતર કરવાની સુચના આપી હતી, પરંતુ તેઓએ આ સ્‍થળ છોડવાનો ઈન્‍કાર કર્યો હતો. જેના કારણે આજે સેલવાસના મામલતદારશ્રીના નેતૃત્‍વમાં આ દબાણ હટાવવાનું કાર્ય કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહ ભાજપ કાર્યાલયમાં સામાજિક ન્‍યાય પત્રિકાનું કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલું વિમોચન

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

ડુંગરીમાં જમીનના હિસ્‍સાની અદાવતમાં કપડા સુકવવાની દોરી તોડી દેરાણીએ જેઠાણી અને ભત્રીજીને માર માર્યો

vartmanpravah

મોરાઈ વેલ્‍સપન કંપનીમાં નોકરીનો બાયોડેટા આપી પરત ફરતા ખેરગામના યુવાનને કાળ ભરખી ગયો

vartmanpravah

દમણ ન.પા.ના ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ નવરાત્રિના નવમા દિવસે કથિરિયા આંગણવાડી ખાતે કરેલું કન્‍યા પૂજન

vartmanpravah

જિલ્લા સ્‍તરીય આંતર શાળા રમત-ગમત સ્‍પર્ધામાં દમણ જિલ્લા અંડર-17 બોયઝ ક્રિકેટ સ્‍પર્ધામાં સાર્વજનિક સ્‍કૂલની ટીમ વિજેતા

vartmanpravah

Leave a Comment