(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.03: દાદરા નગર હવેલીમાં આજે નવા 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામાં હાલમાં 09 સક્રિય કેસો થયા છે, અત્યાર સુધીમાં 6328 કેસ રિક્વર થઈ ચુક્યા છે. ત્રણ વ્યક્તિના મોત થયેલ છે. જિલ્લામાં આરટીપીસીઆરના 225 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી આજે 03 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો અને રેપિડ એન્ટિજનના 43 નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. જિલ્લામાં હાલમાં 03 કંટાઈમેન્ટ ઝોન નક્કી કરાયા છે.
આજે 02 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.