September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા યોજાનારા ‘તારપા’ મહોત્‍સવની તૈયારી આખરી ચરણમાં

દાનહના ઈતિહાસમાં પહેલી વખત સંપૂર્ણ જનભાગીદારીથી આદિવાસી સમુદાયના પરંપરાગત વાદ્ય તારપાને કેન્‍દ્ર સ્‍થાને રાખી યોજાનારો મહોત્‍સવઃ સાંસ્‍કૃતિક કાર્યક્રમોની પણ રહેનારી ભરમાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: દાનહ આદિવાસી સમાજના સ્‍થાનિક યુવાઓએ તારપા મહોત્‍સવ -2023નો ઉત્‍સવ 21મેને રવિવારના દિને ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડ પર ઉજવવામાં આવનાર છે. જેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આ તારપા મહોત્‍સવ-2023નાઆયોજકો આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ, આદિવાસી યુવા સમિતિ, ટ્રિબ્‍યૂટ ટ્રાયબલ ગ્રુપ અને સંકલ્‍પ ફાઉન્‍ડેશન તથા સ્‍થાનિક સમસ્‍ત આદિવાસી સમાજનાં સંયુક્‍ત સહયોગથી સાથે મળીને ઉજવણી કરી રહ્યા છે. જેમા સ્‍થાનિક આદિવાસી સમાજની પારંપારિક સંસ્‍કળતિનાં નૃત્‍ય, ગીતો તથા સ્‍ટેજ પરફોર્મન્‍સ દ્વારા વિવિધ આદિવાસી રંગારંગ કાર્યક્રમોનું આયોજન થશે. આ તારપા મહોત્‍સવ દરમ્‍યાન વિવિધ સ્‍ટોલનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં હસ્‍તકળા દ્વારા બનાવવામાં આવેલ વિવિધ વસ્‍તુઓનું પણ પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ કાર્યક્રમના આયોજકો શ્રી જયેશભાઈ પાગી, શ્રી બ્રિજેશભાઈ ભુસારા, શ્રી હિરેનભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી જયેશભાઈ જાધવ, શ્રી સુરેશભાઈ પવાર, શ્રી અજયભાઈ ગાવિત, શ્રી શંકરભાઈ ધાંગડા, શ્રી દેવુભાઈ ભોયા, શ્રી દેવજીભાઈ ભોયા, શ્રી દિપકભાઈ ખૂલાત, શ્રી કલ્‍પેશભાઈ ચૌધરી, શ્રી દિલિપભાઈ દળવી, શ્રી મહેશભાઈ પટેલ, શ્રી નિતિનભાઈ રાઉત, શ્રી શૈલેષભાઈ વરઠા, શ્રી રિતેશ પટેલ, શ્રી રંજીતભાઈ ગરુડા વગેરે આદિવાસી સમાજનાં શિક્ષિત અને જાગૃત યુવાઓએ બીડું ઉપાડયું છે.

Related posts

પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 500 વિદ્યાર્થીનીઓને સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમ અપાઈ

vartmanpravah

શ્રાવણ માસમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં એક ધાગો ભયલાને બાંધી બહેન આપે દુનિયાની હરેક ખુશીના આશિર્વાદ

vartmanpravah

દાનહની નમો મેડિકલ કોલેજ માટે ડીન સહિત પ્રોફેસરો માટેની ઓર ર1 પોસ્‍ટોને ભારત સરકારે આપેલી મંજૂરી

vartmanpravah

વલસાડના રાબડા ગામે માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે 75માં પ્રજાસત્તાક દિનની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વિભૂતિ ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

Leave a Comment