Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભારત રત્‍ન ડો. આંબેડકરના પૌત્ર ભીમરાવના અધ્‍યક્ષ સ્‍થાને મુંબઈમાં ત્રિસુત્ર શતાબ્‍દી મહોત્‍સવ સમારોહ યોજાયો

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામના રહિશ
કેપ્‍ટન ડો.એ.ડી. માણેકનું ઐતિહાસિક સમારોહ પ્રસંગે
મુંબઈ ખાતે કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સુરત, તા.18: સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાના માણેકપોર ગામના રહિશ એવાં મુંબઈમાં સ્‍થાયીથયેલાં કેપ્‍ટન (ડો.) એ.ડી. માણેક જેમણે ગુજરાતને જન્‍મભૂમિનું ગૌરવ અપાવ્‍યું છે જ્‍યારે મહારાષ્‍ટ્રને કર્મભૂમિ બનાવી છે. બન્ને રાજ્‍યોમાં શૈક્ષણિક અને સામાજીક ક્ષેત્રે ઉમદા અને અકલ્‍પનીય સેવાઓ છેલ્લાં 36 વર્ષોથી આપી રહેલાં કેપ્‍ટન (ડો.) એ.ડી. માણેકને ભારત દેશના સંવિધાનના રચિયતા ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરના પૌત્ર શ્રી ભીમરાવ યશવંત આંબેડકર દ્વારા મુંબઈના ‘‘શામજી નાનજી મારવાડી સ્‍મારક ટ્રસ્‍ટ” અને ‘‘અનુસૂચિત જાતિ સૌરભ મેગેઝીન રાજકોટ”ના સંયુક્‍ત ઉપક્રમે દામોદર હોલ, પરેલ મુંબઈ ખાતે યોજાયેલા શતાબ્‍દી મહોત્‍સવમાં મહારાષ્‍ટ્ર-ગુજરાતના રાજકીય અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં સન્‍માન કરવામાં આવ્‍યું છે.
મુંબઈના દામોદર હોલ પરેલ ખાતે ‘શિક્ષિત બનો, સંગઠિત થાવ અને સંઘર્ષ કરો’ જેવા ત્રિસુત્ર શતાબ્‍દી મહોત્‍સવનું આયોજન મંગળવારે કરવામાં આવ્‍યું હતું. આજ થી 100 વર્ષો પહેલાં ભારત દેશના સંવિધાનના રચયીતા ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરે તા.20મી જુલાઈ 1923નાં રોજ ‘બહિષ્‍કળત હિતકારીણી સભા’ની સ્‍થાપના કરી તત્‍કાલિન સમયની સમાજની વિડંબણાઓથી મુક્‍તિ પામવા સૌપ્રથમ સમાજિક સંગઠનની સ્‍થાપના કરી તેના મુદ્રા લેખ તરીકે ‘ત્રિસુત્ર’ આપ્‍યું હતું. જે પ્રસંગને 100 વર્ષ પુરાં થતાં મુંબઈનાદામોદર હોલ ખાતે જ્‍યાં બાબાસાહેબ ‘ત્રિસુત્ર’ આપ્‍યું હતું ત્‍યાં જ શામજી નાનજી મારવાડી સ્‍મારક ટ્રસ્‍ટ અને સૌરભ મેગેઝીન રાજકોટના સંયુક્‍ત ઉપક્રમે શતાબ્‍દી મહોત્‍સવ યોજાયો હતો. આ સમારોહમાં સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાના માણેકપોર ગામના વતની અને સમાજ રત્‍ન કેપ્‍ટન (ડો.) એ.ડી. માણેકનું આ ઐતહાસિક મહોત્‍સવના ઉદ્‌ઘાટક શ્રી ભીમરાવ યશવંત આંબેડકરના હસ્‍તે ‘‘સમાજ સૌરભ સન્‍માન પત્ર” અર્પણ કરી સન્‍માન કરાયું હતું.
આ શતાબ્‍દિ મહોત્‍સવમાં મહારાષ્‍ટ્ર રાજ્‍યના કેબિનેટ મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા, ગુજરાતના સંસદ સભ્‍ય શ્રી કીરીટભાઈ સોલંકી સહિત મુંબઈ શહેરમાં વસવાટ કરતાં ગુજરાત રાજ્‍યના અનુસૂચિત જાતિના સદસ્‍યો અને 26 જેટલી અનુસૂચિત જાતીની સંસ્‍થાઓના પ્રતિનિધિ તથા મહારાષ્‍ટ્રના અગ્રણી ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ, શૈક્ષણિક સંસ્‍થાઓના વડાઓ મળીને કુલ 300થી વધુ મહાનુભાવોએ મહોત્‍સવમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન જ કેપ્‍ટન (ડો.) એ.ડી. માણેકની આત્‍મકથા ‘ઉડાન એક મજદૂર બચ્‍ચે કી’ હિન્‍દી આવૃત્તિનું વિમોચન પણ મહોત્‍સવના ઉદ્‌ઘાટક હસ્‍તે કરાયું હતું.

Related posts

ચીખલી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ-પાનકાર્ડ લિંક અને સુધારો-વધારો કરવા માટે અરજદારોની લાગેલી કતારો

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે આસામના મુખ્‍યમંત્રી હેમંત બિશ્વા સરમાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ધરમપુરની શ્રીમંત મહારાણા નારણદેવજી લાઇબ્રેરીમાં વીર કવિ નર્મદની 190મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

પદ્મશ્રી એસ.એસ.વૈશ્‍યના અધ્‍યક્ષસ્‍થાને નાની દમણ ખારીવાડ ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

આજે દમણમાં રોજગાર મેળાનું આયોજનઃ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયામાં સફળ ઉમેદવારોને એનાયત કરાશે એપોઈન્‍ટમેન્‍ટ લેટર

vartmanpravah

વલસાડ જિલ્લા મહિલા પોલીસ SHE ટીમ સિનિયર સિટીઝનને સાઈબર ક્રાઈમથી માહિતગાર કરશે

vartmanpravah

Leave a Comment