March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના હરણગામ કાવેરી નદી પરના બ્રિજના પિલ્લરોમાં તિરાડ અને સળિયા દેખાતા મરામત માટે ઉઠેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: રાષ્‍ટ્રીય ધોરીમાર્ગને ખારેલ પાસે જોડતા ખારેલ – રાનકુવા – રૂમલા – ધરમપુર મુખ્‍ય માર્ગ ઉપર હરણગામ સ્‍થિત કાવેરી નદી પરનો વર્ષો જુના પુલના કેટલાક પિલ્લરોમાં તિરાડ જોવા મળી રહી છે. બીજી તરફ આરસીસીમાં કેટલીક જગ્‍યાએ સળિયા પણ દેખાતા થઈ જવા પામ્‍યા છે.
આ માર્ગ પર દિવસ-રાત વાહન વ્‍યવહારથી ધમધમતો રહે છે. અને સારું એવું ટ્રાફિકનું ભારણ હોય છે. તેવા સંજોગોમાં પુલના કેટલાક પિલ્લરોમાં તિરાડ જોવા મળતા અને આરસીસીની સપાટીમાં સળિયામાં દેખાતા થઈ જતા પુલ જર્જરિત થયો હોવાની આશંકા સાથે સ્‍થાનિક આગેવાનો દ્વારા તાકીદે પુલની મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. 11×16 ના સ્‍પાન ધરાવતા આ પુલના પિલ્લરોની તિરાડ વધે અને પુલ વધુ જર્જરિત બને તે પૂર્વેમાર્ગ મકાન દ્વારા ગંભીરતા દાખવી મરામત હાથ ધરી પિલરોની મજબૂતાઈ વધારી વાહન ચાલકો માટે સલામત કરવામાં આવે તે જરૂરી છે.
જોકે માર્ગ મકાન દ્વારા આ પુલના સમાયંતરે જરૂરી નિરીક્ષણ મરામત માટેની તજવીજ હાથ ધરવામાં આવશે હોવાનું જાણવા મળેલ છે. ત્‍યારે મરામત ઝડપથી થાય એવી સ્‍થાનિકો આશા સેવી રહ્યા છે.

માર્ગ મકાન ના નાયબ કાર્યપાલક ઈજનેર ભરતભાઈના જણાવ્‍યાનુસાર હરણગામના કાવેરી નદી પરનો પુલ એકદમ જર્જરિત નથી. આ પુલનું બે વખત નિરીક્ષણ પણ કરવામાં આવ્‍યું છે. અને મરામત માટે દરખાસ્‍ત પણ કરવામાં આવી છે. એટલે મંજૂરી મળ્‍યેથી મરામત કરવામાં આવશે.

Related posts

દીવના ભારતીય જનતા પાર્ટીના યુવાઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી સાથે માધવરાવ સદાશિવરાવ ગોલવલકજીનીઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપીમાં કાર્યરત રોડ, પુલ, અંડરપાસ અને હાઈવેના કામો અંગે ગાંધીનગરમાં ઉચ્‍ચ બેઠક યોજાઈ

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ડેન્‍ટલ ચેકઅપનું આયોજન કરાયું

vartmanpravah

દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસના પ્રદેશ ભાજપના કાર્યક્રમમાં એકત્રિત મોટી ભીડઃ શ્રમિકોની હાજરીએ બેવડાવેલો ઉત્‍સાહ

vartmanpravah

ઘોઘલાના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સંપૂર્ણ રસીકરણ/ઓરિ-રુબેલા નાબુદી વિષય પર યોજાયેલી કાર્યશાળા

vartmanpravah

વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે વલસાડમાં “ચલ સાયકલ ચલાવવા જઈએ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment