June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરમાં અદ્વિતિય આત્‍મોત્‍થાન ગુરુહેમ સ્‍મૃતિ મંગલ ચાતુર્માસ પ્રવેશોત્‍સવની ભવ્‍ય ઉજવણી

ગુરુ ભગવંતોનું ભવ્‍ય સામૈયુ કરવામાં આવ્‍યું :
માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટમાં પ્રવચન સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી નગરમાં અદ્વિતિય આત્‍મોત્‍થાન ગુરુહેમ સ્‍મૃતિ મંગલ ચાતુર્માસનો ભવ્‍ય પ્રવેશોત્‍સવની ઉજવણી કરાઈ, ગુરુભગવંતોનું ભવ્‍ય સામૈયુ કરવામાં આવ્‍યું હતું.
પૂજ્‍યપાદ ગચ્‍છાધિમતિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજય રામચન્‍દ્ર સુરીસ્‍વરજી મહારાજાના સમુદાયવર્તી વાપી નગરના કોહિનુર રત્‍ન પ્રથમ યયોનિધિ શાસક પ્રભાવક ગચ્‍છાધિપતિ પૂ.આચાર્યદેવ શ્રીમદ્દ વિજય હેમભૂષણ સુરીશ્વરજી મહારાજાની પાવન સ્‍મૃતિમાં ચાતુર્માસ મંગલ પ્રવેશની વાપીમાં ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. કર્ણાટક કોહીનુર પ.પૂ. આ.ભ. શ્રીમદ્દ વિજય ચન્‍દ્રભુષણ સુરીશ્વરજી મહારાજશ્રી, દિવ્‍ય ભૂષણ વિજયજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંત શ્રી જિનાગ્ન આરાધક જૈન સંઘમાં રવિવારે વિશાળ સાધુ અને સાધ્‍વીગણ સાથે પધાર્યા હતા. ઝંડાચોકથી પ્રારંભ થઈ સામૈયું શ્રી અજીતનાથ જીનાલય થઈને માનવ કલ્‍યાણટ્રસ્‍ટમાં પ્રવચન સભામાં ફેરવાયેલ શ્રી શાંતિનાથ પરમાત્‍માની ચલ પ્રતિષ્‍ઠા કરાઈ હતી. પરમાત્‍માને નગર પ્રવેશ કરાવવાનો લાભ શ્રી હર્ષદ કુમાર સેવંતીલાલ નાહર પરિવારે લીધો હતો.

Related posts

વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર: સરપંચ અને સભ્‍યની ક્‍યાંક એક મતે હાર-જીત તો કોઈ સભ્‍ય ઉમેદવારને માત્ર એક મત મળ્‍યો

vartmanpravah

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનેવલસાડ કલેક્‍ટરે દંડ ફટકાર્યો

vartmanpravah

ઉદવાડા ગામના મજનુને શબક શીખવાડતી પારડી પોલીસ

vartmanpravah

ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલની અધ્‍યક્ષતામાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની મળેલી બેઠકમાં 50-50ના સિદ્ધાંત સાથે ઔદ્યોગિક વિસ્‍તારના રસ્‍તાઓનું નવીનિકરણ કરવા હાકલ

vartmanpravah

આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છેઃ પ્રદેશ ભાજપ પ્રભારી અશોક ખટરમલ

vartmanpravah

દીવ જિલ્લા પ્રશાસને માછીમારોને દરીયો ખેડવા આપેલી પરવાનગીઃ માછીમારોની નવી સિઝનનો આરંભ

vartmanpravah

Leave a Comment