August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરાની સરલા પર્ફોર્મન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04 : દાદરા નગર હવેલીના દાદરા ગામની સરલા પર્ફોર્મન્‍સ ફાઇબર્સ લિમિટેડ કંપનીના કર્મચારીઓએ વિવિધ મુદ્દાઓ અંગે લેબર વિભાગ અને જિલ્લા કલેક્‍ટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્‍યા મુજબ પગાર અને મિનિમમ મજૂરીના હિસાબે વધારો થવો જોઈએ,પગાર દર મહિને દસ તારીખ સુધીમાં થઈ જવો જોઈએ, જે કર્મચારીઓ ઘણા વર્ષોથી કામ કરતા હોય તેઓનો દર વર્ષે કંપની દ્વારા પગાર વધારવામાં આવે, સાથે હાઉસકિપિંગ કર્મચારીઓનો પણ પગાર વધારવામા આવે. દરેક કર્મચારીને સાર્વજનિક અવકાશના દિવસે વેતન ભરીને આપવામાં આવે, દર મહિનાની ચાર વીકલી ઓફ પણ ભરી આપવામાં આવે. બોનસ કર્મચારીઓને પેમેન્‍ટ ઓફ બોનસ એક્‍ટ 1965 મુજબ દર વર્ષે આપવામાં આવે.
વધુમાં કોન્‍ટ્રાક્‍ટ હેઠળ કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવે છે એને બંધ થવું જોઈએ, સંજય કોન્‍ટ્રાક્‍ટર અને શ્‍યામરાવ કોન્‍ટ્રાક્‍ટર અમને ધમકી આપે છે, ગણેશ ચતુર્થીના સમયે કર્મચારીના પગારમાંથી એક દિવસનો પગાર અમારી મરજી વિરુદ્ધ કાપી લે છે જે ગેરકાયદેસર છે. કર્મચારીઓનું પ્રોવિડન્‍ટ ફંડ કાપવામાં આવે છે પરંતુ જ્‍યારે એ અંગે પૂછપરછ કરવામાં આવે ત્‍યારે યોગ્‍ય જવાબ આપવામા આવતો નથી. જે આપવામાં આવે અને સાથે દર મહિને ફરજીયાત પગાર સ્‍લીપ કર્મચારીઓને આપવામાં આવે. ઉપરાંત કંપનીમાં કોઈપણ નિયમ લાગુ કરવા પહેલા કર્મચારીઓને એક અઠવાડિયા પહેલા જાણ કરવામા આવે વગેરે જેવા કંપનીના કર્મચારીઓએ એમના વિવિધ મુદ્દાઓને લઈને દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરને રજૂઆતકરી છે. જે બાબતે કલેક્‍ટરશ્રીએ કંપનીના કર્મચારીઓને તેમના પ્રશ્નોનો યોગ્‍ય ઉકેલ લાવવાની બાહેંધરી આપી છે.

Related posts

વલસાડ નાની ભાગળ દરિયા કિનારે બોટમાં દમણથી લવાયેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

દીવ ઘોઘલાના શાસ્ત્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્યોતિષમાં પીઍચડીની પદવી મેળવી

vartmanpravah

વાપીથી દમણગંગા નદીમાં છોડાતા પ્રદૂષણને બંધ કરવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત

vartmanpravah

આતુરતાનો અંત! : પારડી નગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાશે

vartmanpravah

લવાછા રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં દ્વાદશ જ્‍યોતિર્લિંગ કથા શિવ ચરિત્ર અને રુદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન

vartmanpravah

દમણ રાણા સમાજ દ્વારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને ખંભાત ખાતે રામનવમી શોભાયાત્રા અસામાજિક તત્‍વો દ્વારા કરાયેલા હુમલામાં જ્ઞાતિના થયેલા અકાળ અવસાનનો વિરોધ નોંધાવવા આવેદન પત્ર અપાયું

vartmanpravah

Leave a Comment