April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરાની સરલા પર્ફોર્મન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04 : દાદરા નગર હવેલીના દાદરા ગામની સરલા પર્ફોર્મન્‍સ ફાઇબર્સ લિમિટેડ કંપનીના કર્મચારીઓએ વિવિધ મુદ્દાઓ અંગે લેબર વિભાગ અને જિલ્લા કલેક્‍ટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્‍યા મુજબ પગાર અને મિનિમમ મજૂરીના હિસાબે વધારો થવો જોઈએ,પગાર દર મહિને દસ તારીખ સુધીમાં થઈ જવો જોઈએ, જે કર્મચારીઓ ઘણા વર્ષોથી કામ કરતા હોય તેઓનો દર વર્ષે કંપની દ્વારા પગાર વધારવામાં આવે, સાથે હાઉસકિપિંગ કર્મચારીઓનો પણ પગાર વધારવામા આવે. દરેક કર્મચારીને સાર્વજનિક અવકાશના દિવસે વેતન ભરીને આપવામાં આવે, દર મહિનાની ચાર વીકલી ઓફ પણ ભરી આપવામાં આવે. બોનસ કર્મચારીઓને પેમેન્‍ટ ઓફ બોનસ એક્‍ટ 1965 મુજબ દર વર્ષે આપવામાં આવે.
વધુમાં કોન્‍ટ્રાક્‍ટ હેઠળ કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવે છે એને બંધ થવું જોઈએ, સંજય કોન્‍ટ્રાક્‍ટર અને શ્‍યામરાવ કોન્‍ટ્રાક્‍ટર અમને ધમકી આપે છે, ગણેશ ચતુર્થીના સમયે કર્મચારીના પગારમાંથી એક દિવસનો પગાર અમારી મરજી વિરુદ્ધ કાપી લે છે જે ગેરકાયદેસર છે. કર્મચારીઓનું પ્રોવિડન્‍ટ ફંડ કાપવામાં આવે છે પરંતુ જ્‍યારે એ અંગે પૂછપરછ કરવામાં આવે ત્‍યારે યોગ્‍ય જવાબ આપવામા આવતો નથી. જે આપવામાં આવે અને સાથે દર મહિને ફરજીયાત પગાર સ્‍લીપ કર્મચારીઓને આપવામાં આવે. ઉપરાંત કંપનીમાં કોઈપણ નિયમ લાગુ કરવા પહેલા કર્મચારીઓને એક અઠવાડિયા પહેલા જાણ કરવામા આવે વગેરે જેવા કંપનીના કર્મચારીઓએ એમના વિવિધ મુદ્દાઓને લઈને દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરને રજૂઆતકરી છે. જે બાબતે કલેક્‍ટરશ્રીએ કંપનીના કર્મચારીઓને તેમના પ્રશ્નોનો યોગ્‍ય ઉકેલ લાવવાની બાહેંધરી આપી છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને દરેક નાગરિકની ચિંતા છે અને તેઓ દરેક નાગરિક સુધી કેન્‍દ્ર સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા કટિબધ્‍ધઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા- દીવ માં ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની કરવામાં આવીઉજવણી

vartmanpravah

કપરાડામાં સુથારપાડાના મેળા માટે આજથી ચાર દિવસ ધરમપુર ડેપો વધારાની એસ.ટી. બસો દોડાવશે

vartmanpravah

સેલવાસ ટોકરખાડા નજીક શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સ્‍વાધ્‍યાય મંડળ કિલ્લા પારડી સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયના પ્રથમ વર્ષમાં 27 ઋષિકુમારોના પ્રવેશોત્‍સવ સાથે ગુરુકુળની તેજસ્‍વી પરંપરાને મળેલી ગતિ

vartmanpravah

દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ફિશરીઝ બોર્ડની મળેલી બેઠકમાં દમણ-દીવના માછીમારોની સમસ્‍યાની સભ્‍ય મનિષ ટંડેલે કરેલી વિસ્‍તૃત રજૂઆત

vartmanpravah

Leave a Comment