April 26, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા વિ.પ્ર. ફાઉન્‍ડેશનના પૂર્વ અધ્‍યક્ષ સ્‍વ.સુરેશ પારીકની વાપીરાજસ્‍થાન ભવનમાં શ્રધ્‍ધાંજલી સભાઈ યોજાઈ

વાપી, વલસાડ, ઉમરગામ સહિત તમામ વિસ્‍તારના વિવિધ રાજસ્‍થાની સમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ જિલ્લા રાજસ્‍થાની સમાજના અગ્રણી તેમજ જિલ્લા વિ.પ્ર. ફાઉન્‍ડેશનના પૂર્વ અધ્‍યક્ષ સુરેશ પારીકના નિધન પર સર્વ રાજસ્‍થાની સમાજ દ્વારા રવિવારે વાપીમાં શ્રધ્‍ધાંજલી સભા યોજાઈ હતી.
રાજસ્‍થાન ભવનમાં યોજાયેલ શ્રધ્‍ધાંજલી સભામાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ, વિ.પ્ર. ફાઉન્‍ડેશન, પારિક સમાજ, જાટ સમાજ પરિષદ, અગ્રવાલ સેવા સમિતિ માલી સમાજ, રાજપૂત સમાજ, બિશ્નોઈ સમાજ, રાજસ્‍થાન જૈન એકતા મંચ, ગૌડ બ્રાહ્મણ સમાજ, હરિયાણા સમાજ, સાલાસર હનુમાન પ્રચાર મંડળ સહિતના વિવિધ સમાજના સંગઠનો સ્‍વ.સુરેશ પારીકની શ્રધ્‍ધાંજલી સભામાં મોટી સંખ્‍યામાં જોડાયા હતા. સ્‍વ.સુરેશ પારીકની તસવીર ઉપર ભાવભરી પુષ્‍પાંજલી સાથે સૌએ શ્રધ્‍ધાંજલી આપી હતી. આ પ્રસંગે રાજસ્‍થાન પ્રગતિ મંડળ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી બી.કે. દાયમાએ જણાવ્‍યું હતું કે, તેમના નિધનથી સમગ્ર રાજસ્‍થાન સમાજમાં ના પુરાય તેવી મોટી ખોટ પડી છે. તેઓ મિલનસાર સ્‍વભાવના તેમજ સરલ સ્‍વભાવ, સેવાભાવી હતા. તેમની સમાજ સેવાના યોગદાનની સમાજ હંમેશા યાદ રાખશે.

Related posts

સંઘપ્રદેશના ઔદ્યોગિક વિકાસની ઝાંખીનો નઝરાણો ઉન્નતિ એક્‍સ્‍પોનો રવિવારથી આરંભ

vartmanpravah

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

vartmanpravah

રાજ્યના ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 30 કરોડના ખર્ચે સરીગામ પ્લાસ્ટીક ઝોન અને સરોંડામાં 66 કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં દ્વિવાર્ષિક અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

દાનહ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોની આકરણી માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત પારડી શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment