Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખેરગામ તાલુકાના પાટી ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાનું ખાતમુહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.01: જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા, નવસારીના તાબા હેઠળના ખેરગામ તાલુકાના પાટી ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાનું ખાતમુહુર્ત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર અને ગણદેવી ધારાસભ્યશ્રી શ્રી નરેશભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
જિલ્લા આયુર્વેદ અઘિકારી વૈદ્ય નયનાબેન પટેલે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આયુર્વેદ દવાખાના માટે સરકારશ્રીના અનુદાનથી નવા બાધકામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી સુમિત્રાબેન ગરાસીયા, ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ, શ્રી પ્રશાંતભાઈ પટેલ, સરપંચ શ્રી મહેન્દ્રભાઈ નાયક, શ્રી અરવિંદભાઈ ગરાસીયા, ખેરગામ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ આસપાસના ગામના સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

દાનહ ગલોન્‍ડા અને કૌંચા ગામે પંચાયત સભ્‍યની પેટા ચૂંટણી યોજાઈ

vartmanpravah

ડેલકરની સહાનુભૂતિમાં ત્રાટકેલી કલાની ત્‍સુનામીમાં ભાજપનું પ્રચંડ ધોવાણ

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં કેરીના વેપાર માટે જગ્‍યા ભાડે રાખવા એનઓસી આપવા માટે રૂા.1પ હજારની લાંચ લેતા નવસારી એસીબીએ એકને રંગે હાથ ઝડપી લઈ ઈન્‍ચાર્જ સરપંચ સહિત બંનેની કરેલી ધરપકડ

vartmanpravah

નવસારી જિલ્લા ટુરિસ્‍ટ વ્‍હિકલ ઓનર વેલફેર એસોસિએશનની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારીના સંઘપ્રદેશ પ્રવાસનો આરંભ

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં વિધવા મહિલાના ઘરની છત ધરાશાયી : પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

Leave a Comment