Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખેરગામ તાલુકાના પાટી ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાનું ખાતમુહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.01: જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા, નવસારીના તાબા હેઠળના ખેરગામ તાલુકાના પાટી ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાનું ખાતમુહુર્ત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર અને ગણદેવી ધારાસભ્યશ્રી શ્રી નરેશભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
જિલ્લા આયુર્વેદ અઘિકારી વૈદ્ય નયનાબેન પટેલે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આયુર્વેદ દવાખાના માટે સરકારશ્રીના અનુદાનથી નવા બાધકામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી સુમિત્રાબેન ગરાસીયા, ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ, શ્રી પ્રશાંતભાઈ પટેલ, સરપંચ શ્રી મહેન્દ્રભાઈ નાયક, શ્રી અરવિંદભાઈ ગરાસીયા, ખેરગામ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ આસપાસના ગામના સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારની વિવિધ સમસ્‍યાઓનો તાત્‍કાલિક નિવેડો લાવવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

ચાલવા નીકળેલ પરિયાનો યુવક ગુમ

vartmanpravah

દૂધ ઉત્‍પાદકોને મધમાખી ઉછેર માટે પ્રોત્‍સાહિત કરવા ચીખલી વસુધારા ડેરી દ્વારા મધમાખી ઉત્‍પાદક-વેચાણ કરનાર મંડળીની સ્‍થાપના કરાઈ

vartmanpravah

દાનહના ડોકમરડી વિસ્‍તારમાં મેઈન રોડ પર ખાડાઓનું સામ્રાજ્‍યઃ વાહનચાલકો-રાહદારીઓને ભારે હાલાકી

vartmanpravah

વાપીમાં ૨૨મી માર્ચે ચાર વર્ષ પહેલાં કોરોનાના લોકડાઉન કફર્યુના કાળા કાળની યાદગીરી તાજી કરી

vartmanpravah

નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સર્વેયર 30 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

Leave a Comment