પારડીમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદનુ જુલુશ અલગ અલગ
દિવસે નીકળશે નો લેવાયો નિર્ણય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.18: સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં હિન્દુ-મુસ્લિમ સમાજના તહેવારો આવી રહ્યા છે. જે અનુસંધાને પારડી પોલીસ મથકના પી.આઈ બી.જે.સરવૈયાના અધ્યક્ષ સ્થાને યુનિટી હૉલમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી હતી, જેમાં ગણેશ ચતુર્થી તેમજ ઈદે મિલાદના તહેવારો શાંતિપૂર્ણ માહોલ અને ભાઈચારાથી યોજવામાં આવે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ અનંત ચૌદસના ગણેશ વિસર્જન તથા ઈદે મિલાદ એક જ દિવસે હોય જે દિવસે શહેરમાં ટ્રાફિક સમસ્યા જેવા અનેક પ્રશ્નો ન ઉભા થાય તે માટે પારડી શહેરમાં ઇદે મિલાદ જુલૂસ 28 તારીખના બદલે 29 તારીખે નીકળશેનો મુસ્લિમ કમિટીઓ દ્વારા નિર્ણય લેવાયો હતો અને ફરી એકવાર પારડીમાં હિન્દુ મુસ્લિમ સમાજે ભાઈચારાના દર્શન કરાવ્યા હતા.
આ બેઠકમાં પી.આઈ.એ વધુમાં જણાવ્યું હતું કે, દરેક મંડળ સમયનું પાલન કરી વિસર્જનમાટે નીકળે નું જણાવ્યું હતું તેમજ ગણેશ મંડળ આયોજકોને આગામી દિવસોમાં કોઈ જરૂરી સૂચનાઓ આપવા તેમજ આયોજકોને પણ પોલીસનો કોઈ પણ સમસ્યામાં સંપર્ક કરી શકે તે માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. અને ખાસ ગણેશ પંડાલમાં જુગાર જેવી પ્રવૃત્તિઓ ના કરવામાં આવે તેવી પોલીસ દ્વારા સમજ આપવામાં આવી હતી.
આ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સૂચનો રજૂ કરવાનું કહેતા પારડીના દેવેન શાહ જેઓ એક જૈન ધર્મના પરિવારમાંથી આવે છે અને હાલમાં જૈનનોના પવિત્ર એવા પર્યુષણનો તહેવાર ચાલતો હોય જૈન મંદિરમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી પ્રાથના તથા સત્સંગ ચાલતો હોય મંદિર નજદીકથી પસાર થતા ગણેશજીના વિસર્જન દરમ્યાન ખૂબ મોટા અવાજે ડીજે પર વાગતા ગીતો અંદર ચાલી રહેલ પ્રાથના તથા સત્સંગમાં ખલેલ પહોંચાડતો હોય, જૈન મંદિરથી 100 મીટર પહેલા અને મંદિરથી 100, મીટર પછી ડીજે બંધ રાખવાનું સૂચન કરાતા આ સૂચન માન્ય રાખવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વલ્લભ આશ્રમના બ્રિજ સુધી આયોજકો પોતાની સાથે લાવેલા ડીજે જેવા સાધનો લઈ જઈ શકશે નું જણાવ્યુ હતું.