August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી અને રાનકુવા વિસ્‍તારમાં નીતિ-નિયમોને નેવે મુકી વાણિજ્‍ય હેતુ માટે કરાયેલા આડેધડ બાંધકામો

બાંધકામો માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા ગેરકાયદે બાંધકામ કરનારાઓને મળી રહેલું મોકળુ મેદાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: ચીખલી તથા રાનકુવા વિસ્‍તારમાં મોટાપાયે વાણિજ્‍ય હેતુના બાંધકામો કરવામાં આવી રહ્યા છે. જેમાં રાનકુવા વિસ્‍તારમાં તો આવાબાંધકામોનો રાફડો ફાટયો છે. વાણિજ્‍ય હેતુના બાંધકામમાં સ્‍થાનિક ગ્રામ પંચાયતો દ્વારા અને તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે આંખઆડા કાન કરવાની નિતીરીતિથી રસ્‍તા, કોતર, નહેર કે અગિયાર કેવી જેવી હાઇટેનશન લાઇન જતી હોય તો નિયમોનુસારનું અંતર પણ છોડવાનું આવતું નથી એ ઉપરાંત ટાઉન પ્‍લાનીંગમાં જે નકશાઓ મંજુર કરવામાં આવ્‍યા હોય તે માત્ર કાગળ પર જ રહી જતા હોય છે. અને સ્‍થળ પર નિયમોનો ભંગ કરી મંજુર નકશા કરતા વિપરીત બાંધકામ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં આ વાણિજ્‍ય હેતુના બાંધકામોમાં ડ્રેનેજની પણ પૂરતી વ્‍યવસ્‍થા કરવામાં આવતી નથી અને બિનખેતીના હુકમની શરતોનું પણ પાલન સ્‍થળ પર કરવામાં આવતું નથી અને ઘણા બાંધકામોમાં સંબંધિત ગ્રામ પંચાયતો દ્વારા નામ પૂરતી નોટીશો ફટકારવામાં આવતી હોય છે. પરંતું કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
ઉપરોક્‍ત ઉપસ્‍થિતિમાં ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા આવા વાણિજ્‍ય હેતુના ચીખલી અને રાનકુવા વિસ્‍તારના બાંધકામોની નિષ્‍પક્ષ તપાસ કરાવી આવા ગેરકાયદેસર બાંધકામોની આકારણી કરનારી વીજળીના જોડાણ માટે એનઓસી આપનારી ગ્રામ પંચાયત સામે પણ કાર્યવાહી કરે તે જરૂરી છે.

Related posts

સંઘપ્રદેશમાં કોવિડ-19ના રોકથામ માટે આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા તકેદારીના પગલાં ‘‘કોરોના કો હરાના હૈ દો ગજ દુરી, માસ્‍ક ઔર હેન્‍ડ સેનિટાઈઝર હૈ જરૂરી”: ફરી ગુંજતો થયેલો મંત્ર

vartmanpravah

સેલવાસ સાંઈ મંદિર નજીક મોપેડ સ્‍લીપ થતાં યુવતી ઘાયલ

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં અજાણ્‍યા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

દમણ કલેક્‍ટરાલય ખાતે કલેક્‍ટર, ડેપ્‍યુટી કલેક્‍ટર, મામલતદાર સહિત 27 લાભાર્થીઓએ લીધેલો કોરોનાનો બુસ્‍ટર ડોઝ

vartmanpravah

પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે ભગવાન શિવની વેશભૂષા તેમજ ભજન સ્પર્ધા યોજાઈ

vartmanpravah

ગ્રામીણ વિસ્‍તારમાં રોજગારના અવસર પુરા પાડવા અને લોકોને આત્‍મનિર્ભર બનાવવાના હેતુથી મહાત્‍મા ગાંધી નરેગા યોજના હેઠળ દાનહની દરેક ગ્રામ પંચાયતોમાં 14મી ઓક્‍ટોબરના સોમવારે ‘‘રોજગાર દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment