March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી અને રાનકુવા વિસ્‍તારમાં નીતિ-નિયમોને નેવે મુકી વાણિજ્‍ય હેતુ માટે કરાયેલા આડેધડ બાંધકામો

બાંધકામો માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા ગેરકાયદે બાંધકામ કરનારાઓને મળી રહેલું મોકળુ મેદાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: ચીખલી તથા રાનકુવા વિસ્‍તારમાં મોટાપાયે વાણિજ્‍ય હેતુના બાંધકામો કરવામાં આવી રહ્યા છે. જેમાં રાનકુવા વિસ્‍તારમાં તો આવાબાંધકામોનો રાફડો ફાટયો છે. વાણિજ્‍ય હેતુના બાંધકામમાં સ્‍થાનિક ગ્રામ પંચાયતો દ્વારા અને તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે આંખઆડા કાન કરવાની નિતીરીતિથી રસ્‍તા, કોતર, નહેર કે અગિયાર કેવી જેવી હાઇટેનશન લાઇન જતી હોય તો નિયમોનુસારનું અંતર પણ છોડવાનું આવતું નથી એ ઉપરાંત ટાઉન પ્‍લાનીંગમાં જે નકશાઓ મંજુર કરવામાં આવ્‍યા હોય તે માત્ર કાગળ પર જ રહી જતા હોય છે. અને સ્‍થળ પર નિયમોનો ભંગ કરી મંજુર નકશા કરતા વિપરીત બાંધકામ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં આ વાણિજ્‍ય હેતુના બાંધકામોમાં ડ્રેનેજની પણ પૂરતી વ્‍યવસ્‍થા કરવામાં આવતી નથી અને બિનખેતીના હુકમની શરતોનું પણ પાલન સ્‍થળ પર કરવામાં આવતું નથી અને ઘણા બાંધકામોમાં સંબંધિત ગ્રામ પંચાયતો દ્વારા નામ પૂરતી નોટીશો ફટકારવામાં આવતી હોય છે. પરંતું કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
ઉપરોક્‍ત ઉપસ્‍થિતિમાં ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા આવા વાણિજ્‍ય હેતુના ચીખલી અને રાનકુવા વિસ્‍તારના બાંધકામોની નિષ્‍પક્ષ તપાસ કરાવી આવા ગેરકાયદેસર બાંધકામોની આકારણી કરનારી વીજળીના જોડાણ માટે એનઓસી આપનારી ગ્રામ પંચાયત સામે પણ કાર્યવાહી કરે તે જરૂરી છે.

Related posts

સેલવાસ-ડોકમરડી ફલાયઓવર બ્રિજ નજીક રીંગ રોડ પર ટ્રકની ટક્કર વાગતા સાયકલ સવારનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપના સહયોગથી ગુરૂકુલ વિદ્યાપીઠમાં સ્‍કાઉટ ગાઈડની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કપરાડામાં નવનિર્મિત કમલ ગર્લ્‍સ હોસ્‍ટેલનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દાનહ અને ડીડીની એન.એસ.એસ. સ્‍વયંસેવકોની ટીમ પાટણ ખાતે રાષ્‍ટ્રીય એકતા શિબિરમાં ભાગ લેવા રવાના

vartmanpravah

‘‘નશામુક્‍ત ભારત અભિયાન” અંતર્ગત દમણ-દાનહ પોલીસે ચલાવેલી ‘‘નો ટોબેકો” ઝુંબેશ

vartmanpravah

દમણમાં જાહેર બાંધકામ વિભાગની ઉદાસિનતા અને લાપરવાહીથી દર વર્ષે ઉનાળામાં થતો પાણીનો કકળાટ

vartmanpravah

Leave a Comment