October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી અને રાનકુવા વિસ્‍તારમાં નીતિ-નિયમોને નેવે મુકી વાણિજ્‍ય હેતુ માટે કરાયેલા આડેધડ બાંધકામો

બાંધકામો માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા ગેરકાયદે બાંધકામ કરનારાઓને મળી રહેલું મોકળુ મેદાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: ચીખલી તથા રાનકુવા વિસ્‍તારમાં મોટાપાયે વાણિજ્‍ય હેતુના બાંધકામો કરવામાં આવી રહ્યા છે. જેમાં રાનકુવા વિસ્‍તારમાં તો આવાબાંધકામોનો રાફડો ફાટયો છે. વાણિજ્‍ય હેતુના બાંધકામમાં સ્‍થાનિક ગ્રામ પંચાયતો દ્વારા અને તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે આંખઆડા કાન કરવાની નિતીરીતિથી રસ્‍તા, કોતર, નહેર કે અગિયાર કેવી જેવી હાઇટેનશન લાઇન જતી હોય તો નિયમોનુસારનું અંતર પણ છોડવાનું આવતું નથી એ ઉપરાંત ટાઉન પ્‍લાનીંગમાં જે નકશાઓ મંજુર કરવામાં આવ્‍યા હોય તે માત્ર કાગળ પર જ રહી જતા હોય છે. અને સ્‍થળ પર નિયમોનો ભંગ કરી મંજુર નકશા કરતા વિપરીત બાંધકામ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં આ વાણિજ્‍ય હેતુના બાંધકામોમાં ડ્રેનેજની પણ પૂરતી વ્‍યવસ્‍થા કરવામાં આવતી નથી અને બિનખેતીના હુકમની શરતોનું પણ પાલન સ્‍થળ પર કરવામાં આવતું નથી અને ઘણા બાંધકામોમાં સંબંધિત ગ્રામ પંચાયતો દ્વારા નામ પૂરતી નોટીશો ફટકારવામાં આવતી હોય છે. પરંતું કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
ઉપરોક્‍ત ઉપસ્‍થિતિમાં ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા આવા વાણિજ્‍ય હેતુના ચીખલી અને રાનકુવા વિસ્‍તારના બાંધકામોની નિષ્‍પક્ષ તપાસ કરાવી આવા ગેરકાયદેસર બાંધકામોની આકારણી કરનારી વીજળીના જોડાણ માટે એનઓસી આપનારી ગ્રામ પંચાયત સામે પણ કાર્યવાહી કરે તે જરૂરી છે.

Related posts

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ગાંધીનગરમાં હાઈવે અને આર.એન.બી.ના અધિકારીઓની ઉચ્‍ચ મિટિંગ યોજાઈ

vartmanpravah

દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવા બદલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાનો માનેલો આભાર

vartmanpravah

દમણ પ્રિમિયર લીગમાં ચેમ્‍પિયન બનેલ કચીગામની આરડીએક્‍સ ઈલેવન

vartmanpravah

ફોટોસ્‍ટોરી

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

vartmanpravah

ડેંગ્‍યુના ફેલાવાને રોકવા અને નિયંત્રણ માટે જનભાગીદારી છે જરૂરી અભિયાન અંતર્ગત દાનહમાં એક મહિનામાં 25 હજારથી વધુ મચ્‍છરોના પ્રજનન સ્‍થળોને નષ્‍ટ કરાયા

vartmanpravah

Leave a Comment