February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરાથી ટયુશન જવાનું કહી નિકળેલી ચાર સગીરાઓ નવસારી સ્‍ટેશનએ ઝડપાઈ

શુક્રવારે ઘરેથી નિકળી ગઈ હતી : ટી.સી.ની સમય સુચકતા આધિન સગીરાઓ મળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી ડુંગરાથી ગત શુક્રવારે ચાર સગીરા સહેલીઓઘરેથી ટયુશન જવાનું કહી નિકળી હતી. ત્‍યાર બાદ ઘરે પરત નહીં ફરતા પરિવારોમાં દોડધામ મચી ગઈ હતી. અંતે બીજા દિવસે સગીરાઓ મળી આવતા વાલીઓએ હાશકારો લીધો હતો.
વાપી ડુંગરાથી ચાર સગીરાઓ ઘરેથી ટયુશન જવાનું જણાવી શુક્રવારે નિકળી હતી પરંતુ રાત સુધી ઘરે પાછી નહી ફરતા ચારેયના પરિવારો ચિંતામાં મુકાઈ ગયા હતા. સગીરાઓ વાપી રેલવે સ્‍ટેશને એકઠી થઈને સુરત તરફ જતી ટ્રેનમાં બેસી ગઈ હતી. નવસારી સ્‍ટેશને ટીસીએ સગીરા પાસે ટિકિટ માંગતા ગલાતલ્લા કરેલા તેથી ટીસીને શંકા જતા નવસારી સ્‍ટેશન ઉપર ઉતારી દીધી હતી અને રેલવે પોલીસને સોંપી હતી. પોલીસે પૂછપરછ કરતા સગીરાઓએ સાચી માહિતી આપી હતી તેથી પોલીસે પરિવારોનો સંપર્ક કરી પરિવાર સાથે મિલન કરાવ્‍યું હતું.

Related posts

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

દમણવાડા મંડળ ખાતે ભાજપના 42માં સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા 42 લાખના 295 મોબાઈલ રિકવર કરાયા

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં બુધવારે દેવકાના ‘નમો પથ’ ઉપર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં 4000 કરતા વધુ લોકો યોગ સાધના કરશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં શિક્ષક જગતમાં બની દુઃખદ ઘટના : વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્‍યક્ષ અલ્‍કેશભાઈ છાયાનું હૃદય રોગના હુમલમાં સારવાર દરમિયાન નિધન

vartmanpravah

દાનહમાં આદિવાસી જંગલ જન જીવન આંદોલન ફરી સક્રિય બને છે

vartmanpravah

Leave a Comment