March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

નવરાત્રી મહોત્‍સવ દરમિયાન શાંતિ અને કાયદો-વ્‍યવસ્‍થા તથા નવરાત્રી ઉત્‍સવનું ધાર્મિક મહત્ત્વ જાળવવા સેલવાસની સોસાયટીઓમાં જઈ પોલીસ ગરબા આયોજકો-સંસ્‍થાઓ સાથે યોજેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા નવરાત્રી મહોત્‍સવ દરમિયાન શાંતિ અને કાયદો વ્‍યવસ્‍થા જાળવવા માટે એક પરિપત્ર જારી કરવામાં આવ્‍યો છે. દાનહ પોલીસે વિવિધ સોસાયટીઓમાં પહોંચી નવરાત્રીના આયોજકો સાથે બેઠક કરી હતી અને નવરાત્રી મહોત્‍સવ ઉજવણી દરમિયાન પાળવામાં આવનારા નિયમો અંગે માર્ગદર્શન તથા સૂચનો કરવામાં આવ્‍યા હતા.
પોલીસના પરિપત્ર અનુસાર આયોજન સ્‍થળ પર ફાયરની સુવિધા, પાર્કિંગની વ્‍યવસ્‍થા, પાણીની વ્‍યવસ્‍થા, કચરા નિકાલની વ્‍યવસ્‍થા, સાફ-સફાઈ, ગરબાચોકમાં નશા પર પ્રતિબંધ, લાઉડ સ્‍પીકરની સમય સીમા, પ્રથમોપચારની વ્‍યવસ્‍થા, વાહનોના અવર જવરમાં અવરોધ ન થાય તેનું ખાસ ધ્‍યાન રાખવા વગેરે જરૂરી હોવાનું જણાવ્‍યું છે. મહોત્‍સવ દરમ્‍યાન રાજકીય પ્રતિનિધિઓની ગતિવિધિઓ પર પ્રતિબંધ, ગરબા ચોકમાં કાયદો-વ્‍યવસ્‍થા જાળવી રાખવા માટેસ્‍વયંસેવકોની વ્‍યવસ્‍થા કરવા જેવા અનેક નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા આયોજકોને સૂચિત કરવામાં આવ્‍યા છે. ઉપરાંત પરિપત્ર મુજબ પોઇન્‍ટ નંબર 19માં ચોખ્‍ખુ લખેલ છે કે અશ્‍લીલ કૃત્‍ય અનેઅશ્‍લીલતા જેવી કોઈપણ ગતિવિધિ નહિ થવી જોઈએ. એવામાં નવરાત્રી મહોત્‍સવ દરમ્‍યાન દરેકે ડી.જે. વાંજિત્રો અને આયોજકો તથા સંસ્‍થાપકોને નિવેદન કરવામાં આવ્‍યું છે કે નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવા અપીલ કરી છે, ગરબામાં અશ્‍લીલ ગીતોનો ઉપયોગ કરવો નહીં જેથી ધાર્મિક તહેવારનું આયોજન સફળતાપૂર્વક અને હર્ષોલ્લાસથી થઈ શકે.
પોલીસ વિભાગના અધિકારીઓએ સોસાયટીના લોકોને પણ નવરાત્રી તહેવાર નિમિતે સંપૂર્ણ સહયોગ આપવા તેમજ પોલીસ વિભાગ દ્વારા પણ સહયોગ મળશે એવી બાંહેધરી આપી હતી.

Related posts

વાપી બલીઠામાં ટ્રાન્‍સપોર્ટરને ધમકી આપી 10 લાખની ખંડણી માંગનારા દમણના પાંચ આરોપી ઝડપાયા

vartmanpravah

ભામટી માહ્યાવંશી નાઈટ ટૂર્નામેન્‍ટનો દબદબાભેર આરંભ

vartmanpravah

આંટિયાવાડ ગ્રામ પંચાયત ખાતે સરપંચ ઉર્વશીબેન પટેલ સાથે મહારાષ્‍ટ્રના રાષ્‍ટ્રીય પ્રશિક્ષણ વિશેષ આમંત્રિત સભ્‍ય યોગીનીએ સદસ્‍યતા અભિયાનને આપેલો વેગ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ સફાઈ દિવસ નિમિત્તે દીવના ગોમતીમાતા બીચની કરાયેલી સાફ-સફાઈ: કુલ 129 કિલોગ્રામ જેટલો ઘન કચરો એકત્ર કરાયો

vartmanpravah

રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા પ્રથમવાર એવોર્ડ અપાશે, તા.08 માર્ચ સુધીમાં પુરાવા સાથે અરજી કરવી

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજી અંગે મુસદ્દો તૈયાર કરાયો

vartmanpravah

Leave a Comment