Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના ખેડૂતોએ હાઈટેન્‍સન લાઈનમાં સંપાદિત થનાર જમીનોનું યોગ્‍ય વળતર આપવા માંગ કરી

400 કેવી અને 765 કેવી સંલગ્ન બીજી આઠ લાઈન પાવરગ્રીડ દ્વારા નાંખવામાં આવનાર છે : નવી જંત્રી મુજબ વળતર માંગ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડ જિલ્લામાં પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા 400 કે.વી. અને 765 કે.વી. હાઈટેન્‍સન લાઈન નાખવામાં આવનાર છે. જમીન સંપાદન અંગે ખેડૂતોએ વિરોધ દર્શાવીયોગ્‍ય નહી જંત્રી મુજબ વળતર આપવાની માંગ સાથે આજે જિલ્લાના આગેવાન ખેડૂતોએ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
વલસાડ જિલ્લામાં વલસાડ તાલુકામાં 71 ગામ, કપરાડામાં 48 અને પારડીના 26 ગામોમાં હાઈટેન્‍સન લાઈન પાવરગ્રીડ દ્વારા નાંખવામાં આવનાર છે. જેમાં સંપાદિત થનાર જમીનનું એક્‍સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં ખેડૂતોને વળતર અપાયું છે તે પ્રમાણે નવી જંત્રી મુજબ ખેડૂતોને જમીનનું વળતર મળે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. મુખ્‍ય બે હાઈટેન્‍સન લાઈન સાથે અન્‍ય આઠ લાઈન પણ પસાર થવાની હોવાથી ખેતીવાડી અને બાગાયત જમીનોને માટે નુકશાન થશે તેવી ખેડૂતોએ જમીન આપવાની ના નથી કહેતા પરંતુ તેનું વળતર નવી જંત્રી મુજબ ખેડૂતોને મળે તેવી માંગણી સાથે આજે જિલ્લાના આગેવાન ખેડૂતોએ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

Related posts

ઉમરગામ તાલુકાના સરપંચોમાં સાંસદ કે. સી. પટેલ પ્રત્‍યે ભારે નારાજગી

vartmanpravah

મુસ્‍કાન ટીમે ફૂટપાથ પર રહેતા બાળકો સાથે દિવાળી ઉજવી

vartmanpravah

ઉમરગામ જેટીની હાથ ધરાયેલી સર્વેની કામગીરી

vartmanpravah

સેલવાસ મેડિકલ કોલેજ ગર્લ્‍સ હોસ્‍ટેલ નજીકના સ્‍ટેડીયમમાં રાત્રિના સમયે કરાતા ઘોંઘાટ વિરુદ્ધ સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચાએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને રક્ષામંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વસંત પંચમીના દિને એક વર્ષ પૂર્ણ થતાં ત્રિશક્‍તિ ધામ મસાલચોક, મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજીના મંદિરની ભૂમીને સતચંડી મહાયજ્ઞનું આયોજન

vartmanpravah

Leave a Comment