Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડઃ વશીયરમાં રેલવેના નવા બ્રિજ માટે ડિમોલીશન કરવા ગયેલ ટીમને સ્‍થાનિકોએ અટકાવતા મામલો ઉગ્ર બન્‍યો: સાત જેટલા મકાનો ડિમોલીશનમાં જતા હોવાથી લોકોએ નોંધાવેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10
વલસાડના વશીયર ગામે રેલવેના નવિન પુલ માટે જરૂરી જમીન સંપાદન કરવા માટે અધિકારીઓની ટીમ ડિમોલીશન કરવા આજે શુક્રવારે સવારે પહોંચી હતી. સ્‍થાનિકોએ ઉગ્ર વિરોધ કરતા ડિમોલીશનની કામગીરી હાલ પુરતી પડતી મુકવામાં આવી હતી. વલસાડ નજીક આવેલ વશીયર ગામે રેલવેનો નવો પુલ બનનાર હોવાથી તે અંગે જરૂરી જમીન સંપાદન કરવા જાહેર બાંધકામ વિભાગના ઈજનેર એમ.એન. પટેલ અને તેમની ટીમ પોલીસ સાથે વશીયર ગામે ડિમોલીશન કરવા પહોંચી હતી. પરંતુ પુલ માટે જે જમીન સંપાદન થનાર હતી તેમાં 7 જેટલા સ્‍થાનિકોના મકાન આવેલા હોવાથી તેમના મકાન તૂટી જશે, તેઓ ઘર વિહોણા થઈ જશે તે મામલે લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્‍યો હતો. લોકોની ઉગ્ર રજૂઆત જોતા હાલ પુરતી ડિમોલીશનની કામગીરી પડતી મુકાઈ હતી પરંતુ સંપૂર્ણ તપાસ બાદ તા.16 ડિસેમ્‍બર પછી ફરી ડિમોલીશનની કામગીરી હાથ ધરાશે તેવુ તંત્ર દ્વારા જણાવવામાંઆવ્‍યું હતું.

Related posts

ચીખલી નજીક બલવાડા હાઈવે પર અલ્‍ટો કાર ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક પર બ્રેઝા સાથે અથડાઈઃ એકનું મોત

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસથી ખાનવેલ રોડ ઉપર ટ્રક, કન્‍ટેઈનરો, ટ્રેલરોના આડેધડ પાર્કિંગના કારણે ભારે હાલાકી

vartmanpravah

સેલવાસ લાયન્‍સ સ્‍કૂલમાં ‘શિક્ષક દિન’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

19મી નવેમ્‍બરના શનિવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી યોજાનારો ભવ્‍ય રોડ શો

vartmanpravah

ફડવેલની એચ.ડી. સાર્વજનિક વિદ્યામંદિરના કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્‍તે કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment