Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડઃ વશીયરમાં રેલવેના નવા બ્રિજ માટે ડિમોલીશન કરવા ગયેલ ટીમને સ્‍થાનિકોએ અટકાવતા મામલો ઉગ્ર બન્‍યો: સાત જેટલા મકાનો ડિમોલીશનમાં જતા હોવાથી લોકોએ નોંધાવેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10
વલસાડના વશીયર ગામે રેલવેના નવિન પુલ માટે જરૂરી જમીન સંપાદન કરવા માટે અધિકારીઓની ટીમ ડિમોલીશન કરવા આજે શુક્રવારે સવારે પહોંચી હતી. સ્‍થાનિકોએ ઉગ્ર વિરોધ કરતા ડિમોલીશનની કામગીરી હાલ પુરતી પડતી મુકવામાં આવી હતી. વલસાડ નજીક આવેલ વશીયર ગામે રેલવેનો નવો પુલ બનનાર હોવાથી તે અંગે જરૂરી જમીન સંપાદન કરવા જાહેર બાંધકામ વિભાગના ઈજનેર એમ.એન. પટેલ અને તેમની ટીમ પોલીસ સાથે વશીયર ગામે ડિમોલીશન કરવા પહોંચી હતી. પરંતુ પુલ માટે જે જમીન સંપાદન થનાર હતી તેમાં 7 જેટલા સ્‍થાનિકોના મકાન આવેલા હોવાથી તેમના મકાન તૂટી જશે, તેઓ ઘર વિહોણા થઈ જશે તે મામલે લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્‍યો હતો. લોકોની ઉગ્ર રજૂઆત જોતા હાલ પુરતી ડિમોલીશનની કામગીરી પડતી મુકાઈ હતી પરંતુ સંપૂર્ણ તપાસ બાદ તા.16 ડિસેમ્‍બર પછી ફરી ડિમોલીશનની કામગીરી હાથ ધરાશે તેવુ તંત્ર દ્વારા જણાવવામાંઆવ્‍યું હતું.

Related posts

ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારીના સહયોગથી ચીખલી-ખેરગામતાલુકા માટે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

પારડીની એન.કે.દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં પ્રાથમિક ઉપચાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી હાઈવે બગવાડા ટોલનાકાપાસે શુભમ ગ્રીનમાં રહેતી આધેડ મહિલાને અજાણ્‍યા વાહને ટક્કર મારી

vartmanpravah

પારડીની એન.કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં જ્ઞાન સપ્તાહની શરૂઆત

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઘોષિત થયેલા લાલુભાઈ પટેલને ઠેર-ઠેરથી મળી રહેલા અભિનંદન અને જયઘોષ

vartmanpravah

Leave a Comment