January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી): કાચુ મકાનમાં વસવાટ દરમિયાન અનેક સમસ્‍યાઓનો સામનો કરવો પડતો હતો પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મારૂ પાકા મકાનનું સ્‍વપ્‍ન પૂર્ણ થયું. દિવ્‍યાંગ હેતલકુમાર પટેલ

– અક્ષય દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: દરેક લોકોનું સ્‍વપ્‍ન હોય છે કે રહેવા માટે એક પાકું મકાન હોય. પ્રધાનમંત્રી આવાસ યોજના આ સ્‍વપ્‍નને આકાર આપી રહી છે.
વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના ડુંગરા વિસ્‍તારના દિવ્‍યાંગ હેતલકુમાર પરાગભાઈ પટેલનું ઘરનું ઘર હોવાનું સ્‍વપ્‍ન સાકાર થયું છે. તેઓએ પ્રતિભાવ આપતા જણાવ્‍યું હતું કે, અમે લોકો પહેલા કાચા મકાનમાં રહેતા હતા. જેનાકારણે મારા કાચા ઘરમાં ચોમાસામાં પાણી ભરાઈ જતા મને મુશ્‍કેલીઓનો સામનો કરવો પડતો હતો. બાદમાં મને જાણકારી મળી કે, સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત નગરપાલિકા વિસ્‍તારમાં રહેતા લોકો માટે પાકું મકાન બનાવવા માટે રૂ.3,50,000ની સહાય મળે છે તે અંગે વધુ જાણકારી માટે હું વાપી નગરપાલિકામાં ગયો હતો જ્‍યાં મને નગરપાલિકાના ઈજનેર શ્રી રાકેશભાઈ દોમાડીએ આ યોજના અંતર્ગત સહાય અરજી કરવા જણાવતા મે તુર્ત જ અરજી કરી હતી જે અરજી સંદર્ભે મને પ્રધાનમંત્રીશ્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત વર્ષ 2020-21 માં મને રૂ.3,50,000/- ની સહાય મળી હતી.
વધુમાં હેતલભાઈએ જણાવ્‍યું કે, પાકું મકાન બનાવવા માટે મને તબક્કાવાર 6 સ્‍ટેજમાં રૂ.3,50,000/- ની સહાય મળતા સરકારશ્રીની આ યોજનાથી મારૂ ઘરનું ઘર બનાવવાનું સ્‍વ5ન પૂર્ણ થયું છે. જે બદલ હું વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો આભાર માનું છું.
ઉલ્લેખનીય છે કે, આગામી તા.10 ફેબ્રુઆરીના રોજ રાજ્‍ય સરકારશ્રીના નેતૃત્‍વ હેઠળ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં તેમજ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં રાજ્‍યના 33 જિલ્લાઓમાં આવાસોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્‍ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસાખાતેથી યોજાનાર છે.
વલસાડ જિલ્લામાં પણ જિલ્લાની 5 વિધાનસભા 178- ધરમપુર, 179- વલસાડ, 180- પારડી, 181- કપરાડા અને 182- ઉમરગામ વિધાનસભા વિસ્‍તારમાં અનુક્રમે 2038, 309, 336, 1634 અને 615 મળી કુલ 4932 આવાસોના લોકાર્પણ કરાશે.

Related posts

દમણ-દીવ અને દાદરા નગર હવેલીની આવનારી પેઢી ગુલામી અને મુક્‍તિના ઈતિહાસથી વંચિત રહેશે

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ(ગ્રાન્‍ટેડ) શાળાનું ગૌરવ

vartmanpravah

કરજગામ રાયવાડીમાં બોરિંગોમાંથી નીકળતું કલર યુક્‍ત પાણીની સમસ્‍યા યથાવત્‌

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

દાનહની સૌથી મોટી સમસ્‍યા ગરીબી અને બેરોજગારીઃ નિરાકરણ માટે શિક્ષણ અમોઘ શસ્ત્ર

vartmanpravah

વલસાડ શહેરમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment