April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી પ્રાથમિક શાળામાં ‘કુપોષણ નિવારણ’ અને ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ’ સેમિનારનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: દાદરા નગર હવેલીના નરોલી ગામની પૃથ્‍વીરાજ ચૌહાણ અંગ્રેજી માધ્‍યમ પ્રાથમિક શાળામાં ‘કુપોષણ નિવારણ’ અને ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ’ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના અને સ્‍વાગત ગીતની પ્રસ્‍તુતિથી કરવામાં આવી હતી.
ત્‍યારબાદ ઇન્‍ડિયન કાઉન્‍સિલ ફોર ચાઈલ્‍ડ વેલફેરના ચેરમેન શ્રી એમ.વી.પરમારે પોષક તત્‍વો અંગે બાળકોએ જાણકારી આપી હતી. સાથે ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ’માં માતાના દૂધની ઉપયોગીતા અને તેનું મહત્ત્વ તેમજ માતાને શરૂઆતના દૂધ પહેલાં રસીકરણ અંગે ઉપસ્‍થિત મહિલાઓ, શાળાની શિક્ષિકાઓને જાણકારી આપવામાં આવી હતી. સાથે કુપોષણ દૂર કરવા માટે યોગ્‍ય સંતુલિત ખોરાક અને સસ્‍તા સરળ પોષક આહાર અંગે વિસ્‍તૃત સમજ આપવામાં આવી હતી. આ અવસરે ‘સ્‍તનપાન’ અને ‘કુપોષણ’ વિષય ઉપર આયોજીત વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્‍કારઆપી સન્‍માનિત કરાયા હતા.
દરમિયાન નરોલી પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડો. કવિ દરૂએ માતાના દૂધનું મહત્ત્વ અને ઉપરના આહાર અંગે જાણકારી આપી હતી. ડો. જાગૃતિ પટેલે દાંતની સારસંભાળ માટેની જાણકારી આપી હતી. ત્‍યારબાદ ઈપકા લેબોરેટરી કંપની દ્વારા પૌષ્ટિક ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્‍યા હતા. શાળાની આચાર્યા શ્રીમતી અનીશા ખલીફાએ આહાર અને વિહાર અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમનુ સંચાલન અંશુમાન તિવારી દ્વારા કરવામા આવ્‍યું હતું.

Related posts

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

દાદરાના સામાજીક અગ્રણીએ એમની દીકરીના જન્‍મદિને શાળાના બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાનો થનારો પ્રાયોગિક પ્રયાસ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં તલાટીઓની કરાઈ આંતરિક બદલી

vartmanpravah

માહ્યાવંશી સમાજનું ગૌરવ: એન.એમ.એમ.એસ.ની પરીક્ષામાં અટગામની હેત્‍વી ભાભાકરનો ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

વલસાડ વિસ્‍તારમાં કાર ચાલકો બેફામ : વધુ ત્રણ ગૌવંશો ઉપર કાર ફરી વળતા ચકચાર

vartmanpravah

Leave a Comment