અનુજ નામના યુવાનને માર મારનાર જીગર પટેલ, કેયુર પટેલ, કિશોર પટેલ સામે પિતાએ ફરિયાદ નોંધાવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વલસાડ નનકવાડામાં જઈ રહેલ વરઘોડાના જાનૈયા ગુંદાગર્દી ઉપર ઉતરી આવ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.
પોલીસ સુત્રો મુજબ વલસાડ નનકવાડા વિસ્તારમાંથી પસાર થતા વરઘોડામાં કોઈએ સંતોષિ એપાર્ટમેન્ટ પાસે કાર પાર્ક કરી હતી ત્યારે એપાર્ટમેન્ટમાં યુવાન અનુજ મધુસુદનવ્યાસે જાનૈયાઓને કાર હટાવવાનું જણાવેલ તેથી ગુસ્સે ભરાયેલા જાનૈયાઓમાં આવેલ કિશોર અને કૃણાલ ઉર્ફે ચકો નામના યુવાનો અનુજને માર માર્યો હતો. અન્ય લોકો વચ્ચે પડતા મામલો થાળો પડયો હતો પરંતુ વાત એટલેથી અટકી નહોતી. નાની અમથી વાતની અદાવત રાખી જાનૈયા જીગર હરીશ પટેલ, કેયુર હરીશ પટેલ, કિશોર ઈશ્વર પટેલ, કૃષ્ણાલ ઉર્ફે ચકો વિજય પટેલ તમામ રહે.નનકવાડા ફરીથી અનુજના ઘરે પહોંચ્યા હતા. દરવાજો ઠોકી અનુજને બહાર કાઢી બેહોશ થાય તેટલો ઢોર માર્યો હતો. જેના પગલે મામલો ફરી ગરમાયો હતો. બનાવ સંદર્ભે અનુજના પિતા મધુસુદનભાઈએ સિટી પોલીસમાં તમામ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.