October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના કોસમકુવામાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ તાલુકાના કોસમકુવા ગામમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ અને ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના આરોગ્‍ય ખાતા દ્વારા આયોજિત હેલ્‍થ કેમ્‍પમાં કુલ 245 લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં 34 લોકોએ ટીબી અને 13 લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. ગામનું નામ રોશન કરનાર મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને સ્‍થાનિક કલાકારોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. 12 મહિલાઓએ પીએમ ઉજ્જવલા યોજનામાં નોંધણી કરાવી હતી. 247 પશુઓનુ વેક્‍સિનેશન પણ કરાયું હતું. 36 નવા આયુષ્‍યમાન કાર્ડ માટે નોંધણી તેમજ 18 આયુષ્‍યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું. ગ્રામજનોએ રથના માધ્‍યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્‍મ પણ નિહાળી હતી, સરકારની વિવિધ યોજનાના લાભથી થયેલા ફાયદા અંગે આવાસ યોજના, આઈસીડીએસની પોષણ અભિયાન યોજના,મિશન મંગલમ યોજના, પીએમ કિસાન સમ્‍માન નિધિ યોજના અને આયુષ્‍યમાન કાર્ડ યોજનાના પાંચ લાભાર્થીઓએ ‘‘મેરી કહાની, મેરી જુબાની” હેઠળ સફળ વાર્તા રજૂ કરી હતી. કાર્યક્રમનાં અંતે ‘‘વિકસિત ભારત” માટે પ્રતિજ્ઞા લીધી હતી.
શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરી પ્રાકળતિક ખેતીનું મહત્‍વ સમજાવ્‍યું હતું. ખેતીમાં ડ્રોન ટેક્‍નોલોજી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા.

Related posts

વલસાડ મોગરાવાડી અક્ષરધામ બંગલામાં ધોળા દિવસે ચોરી : સોનાનું મંગલસુત્ર અને રોકડા ચોરાઈ ગયા

vartmanpravah

દીવ જિલ્લાને એનઆરએચએમમાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરવા બદલ મળેલા પ્રધાનમંત્રી પુરસ્‍કારને પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરતા કલેક્‍ટર ફરમન બ્રહ્મા

vartmanpravah

આદિવાસીઓના આર્થિક ઉત્‍થાન હેતુ ખાનવેલના વેલુગામમાં પ્રશાસન દ્વારા લાભાર્થીઓને મરઘીઓનું કરાયેલું વિતરણ

vartmanpravah

વાપીમાં ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર : નવા કાયદાનો વિરોધ કરી સુત્રોચ્‍ચાર કરી પુતળુ સળગાવ્‍યું

vartmanpravah

સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં દમણ-દીવ સહિત ભારતના માછીમારોની પાકિસ્‍તાની જેલમાંથી છોડાવવા કરેલી બુલંદ રજૂઆત

vartmanpravah

મંત્રી કનુભાઈ દેસાઈ સહિતનામહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી

vartmanpravah

Leave a Comment