July 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જિ.પં.ના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સી.પી.એસ. દપાડા પંચાયત અને સી.આર.સી.ના સંયુક્‍ત પ્રયાસથી દપાડાના મિશનપાડામાં ‘‘શિક્ષણની વાત વાલીઓ સાથે” કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગ સંચાલિત પી.એમ.શ્રી સી.પી.એસ. દપાડા પંચાયત અને સી.આર.સી.ના સંયુક્‍ત પ્રયાસથી સમગ્ર શિક્ષા સમુદાય સહભાગીતા ઉપક્રમ અંતર્ગત દપાડા પંચાયતના મિશનપાડામાં ‘‘શિક્ષણની વાત વાલીઓ સાથે” બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શિક્ષણમાં થઈ રહેલા સુધારા, વિદ્યાર્થીઓમાં જાગેલી શિક્ષણ ભૂખ, ગુણવતાપૂર્ણ શિક્ષણ, શાળામાં ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિ વગેરે બાબતે વાલીઓમાં જાગૃતિ આવે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શિક્ષણ પ્રત્‍યે વાલીઓની ભૂમિકા શું છે, શિક્ષકોની ભૂમિકામાં કોણ છે, વિદ્યાર્થીઓએ કેવી રીતે ભણતર કરવું ઉપરાંત અન્‍ય વિષયો પર વાલીઓ સાથે ગહન ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકમાં વાલીઓએ પણ ઉત્‍સાહથી મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પ્રી-સ્‍કૂલ શિક્ષણ, રમતા રમતા શીખો અભિયાન, ઈવનિંગ સેલ્‍ફ સ્‍ટડી સેન્‍ટર, શાળામાં વિદ્યાર્થીઓની ગેરહાજરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
પી.એમ.શ્રી સી.પી.એસ. દપાડાના આચાર્ય શ્રીમતી ડિમ્‍પલબને પટેલે આ કાર્યક્રમની પ્રસ્‍તાવના રજૂ કરી હતી. જ્‍યારે જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી રમેશભાઈએ સ્‍થાનિક ભાષામાં સંવાદ કર્યો હતો. બી.આર.સી. શ્રી ગણેશ પાટીલ, બી.આર.પી. શ્રી ગણેશ મોરેએ વિવિધ વિષયો પર વાલીઓ સાથે ચર્ચા કરી હતી. આ અવસરે શ્રી હિતેષભાઈ, શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, શ્રી બિમલસિંગ રાજપૂત, શિક્ષકો સહિત વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુરમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ વિતરણ અને કેમ્પ યોજાયો

vartmanpravah

પિપરિયા પર હુમલો,  પોર્ટુગીઝોના અત્‍યાચારી રાજ્‍યમાં રહેલા નાગરિકોને સંઘના સ્‍વયંસેવકોના આદર્શ વ્‍યવહારની કલ્‍પના આવે પણ કેવી રીતે?

vartmanpravah

દાનહ પોલીસે ઓનલાઇન છેતરપીંડી કરનાર બે આરોપીઓની કરેલી ધરપકડ : આરોપીઓ પાસેથી 1,51,900 રૂપિયા અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્‍યા

vartmanpravah

કેન્‍દ્રની મોદી સરકાર પ્રદેશના આદિવાસીઓના વિકાસમાટે સમર્પિતઃ દીપેશ ટંડેલ

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો : ક્‍યાંક ગરમી તો ક્‍યાંક ઝરમર વરસાદનો નજારો

vartmanpravah

Leave a Comment