Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચણોદ ત્રણ રસ્‍તા રાજમાર્ગ ઉપર નેતાઓના પૂતળા રાખવાની હિલચાલ સામે ગામના નાગરિકોનો વિરોધ

ગામના અગ્રણીઓએ વલસાડ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી ચણોદ ત્રણ રસ્‍તા ઉપર કેટલાક સમયથી નેતાઓના પુતળા રાખવાની કેટલાક લોકો દ્વારા હીલચાલ કરવામાં આવી રહી છે. જેનો ચણોદ ગામના નાગરિકોએ વિરોધ જાહેર કરી આજે વલસાડ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યુંહતું.
ચણોદ ત્રણ રસ્‍તાની ભોગોલિક સ્‍થિતિ મુજબ અહીંથી નાસિક સ્‍ટેટ હાઈવે તથા સેલવાસ મેઈન રોડ પસાર થાય છે. અહીં ત્રણ રસ્‍તા ઉપર રિક્ષા તથા ટેમ્‍પા સ્‍ટેન્‍ડ છે. તેમજ સવારે મજુરો એકત્રીત થાય છે. આખો દિવસ ટ્રાફિક સમસ્‍યા રહે છે. આવી વિષમ પરિસ્‍થિતિ હોવા છતાં કેટલાક લોકો અહીં નેતાના પૂતળા રાખવાની ચેષ્‍ટા કરી રહ્યા છે. અગાઉ ત્રણ પૂતળા રાખેલા હતા તેને ટ્રેઈલર ભટકાતા પુતળા રાખવાવાળાઓએ હોબાળો કરી ચક્કાજામ કર્યો હતો. બીજુ કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી વગર જાહેર રાજમાર્ગ ઉપર પુતળા રાખવાની થઈ રહેલી ગતિવિધિઓ સામે જ મૂળ ચણોદ ગામના નાગરિકો જ વિરોધ કરી રહ્યા છે. તે બાબતે પુતળા રાખવાના વિરોધમાં આજે ચણોદ ગ્રામવાસીઓએ વલસાડ કલેક્‍ટરને આવેદન આપી જાહેર હીત માટે પુતળા રાખવી પ્રક્રિયા અટકાવવાની માંગણી કરી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પરિયારી ગ્રામ પંચાયતમાં જમીનના પુનઃ સર્વેક્ષણ માટે મળેલી ગ્રામસભા

vartmanpravah

ધરમપુર માલનપાડામાં કોસ્‍મેટિક ગોડાઉનમાં થયેલી 9 લાખની ચોરીનો ભેદ પોલીસેઉકેલ્‍યો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં સંઘપ્રદેશના આઈ.ટી., દૂરસંચાર અને ગુજરાત- એલ.એસ.એ. ભારત સરકારના સહયોગથી સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, દમણના ઓડિટોરિયમમાં યોજાયું 5G સંમેલન

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં પીવાના પાણીની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે અમૃત સરોવરના નિર્માણનું પ્રદેશ ભાજપ દ્વારા સૂચન

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજમાં મહિલા દિન અવસરે સ્ત્રી રોગ સમસ્‍યા સેમિનાર યોજાયો

vartmanpravah

મહારાષ્‍ટ્રમાં યોજાનાર આદિવાસી સમાજના મહાસંમેલન અંતર્ગત ધરમપુરમાં બેઠક મળી

vartmanpravah

Leave a Comment