Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચણોદ ત્રણ રસ્‍તા રાજમાર્ગ ઉપર નેતાઓના પૂતળા રાખવાની હિલચાલ સામે ગામના નાગરિકોનો વિરોધ

ગામના અગ્રણીઓએ વલસાડ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી ચણોદ ત્રણ રસ્‍તા ઉપર કેટલાક સમયથી નેતાઓના પુતળા રાખવાની કેટલાક લોકો દ્વારા હીલચાલ કરવામાં આવી રહી છે. જેનો ચણોદ ગામના નાગરિકોએ વિરોધ જાહેર કરી આજે વલસાડ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યુંહતું.
ચણોદ ત્રણ રસ્‍તાની ભોગોલિક સ્‍થિતિ મુજબ અહીંથી નાસિક સ્‍ટેટ હાઈવે તથા સેલવાસ મેઈન રોડ પસાર થાય છે. અહીં ત્રણ રસ્‍તા ઉપર રિક્ષા તથા ટેમ્‍પા સ્‍ટેન્‍ડ છે. તેમજ સવારે મજુરો એકત્રીત થાય છે. આખો દિવસ ટ્રાફિક સમસ્‍યા રહે છે. આવી વિષમ પરિસ્‍થિતિ હોવા છતાં કેટલાક લોકો અહીં નેતાના પૂતળા રાખવાની ચેષ્‍ટા કરી રહ્યા છે. અગાઉ ત્રણ પૂતળા રાખેલા હતા તેને ટ્રેઈલર ભટકાતા પુતળા રાખવાવાળાઓએ હોબાળો કરી ચક્કાજામ કર્યો હતો. બીજુ કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી વગર જાહેર રાજમાર્ગ ઉપર પુતળા રાખવાની થઈ રહેલી ગતિવિધિઓ સામે જ મૂળ ચણોદ ગામના નાગરિકો જ વિરોધ કરી રહ્યા છે. તે બાબતે પુતળા રાખવાના વિરોધમાં આજે ચણોદ ગ્રામવાસીઓએ વલસાડ કલેક્‍ટરને આવેદન આપી જાહેર હીત માટે પુતળા રાખવી પ્રક્રિયા અટકાવવાની માંગણી કરી હતી.

Related posts

દાનહના ખડોલીમાં ઓઈલ બનાવતી ઓટોકેર લુબ્રિકન્‍ટ કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

પારડીના પંચલાઈમાં મેડિકલ વેસ્‍ટનો જથ્‍થો ખુલ્લામાં ફેંકાતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

શિક્ષક દિવસના ઉપલક્ષમાં ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દમણની સરકારી પોલિટેકનિકના વિભાગાધ્‍યક્ષ ડૉ. રાકેશકુમાર ભૂજાડેની ટેક-ગુરૂના એવોર્ડથી કરાયેલું સન્‍માન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ(ગ્રાન્‍ટેડ) શાળાનું ગૌરવ

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ દ્વારા ‘વિશ્વ વસતી દિવસ’ નિમિત્તે યોજાયેલ ચિત્રકામ સ્‍પર્ધામાં આલોક પબ્‍લિક સ્‍કૂલ વિજેતા બની

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલા નુકશાનના વળતર માટે ત્રણ ધારાસભ્‍યોની રજૂઆત

vartmanpravah

Leave a Comment