December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચણોદ ત્રણ રસ્‍તા રાજમાર્ગ ઉપર નેતાઓના પૂતળા રાખવાની હિલચાલ સામે ગામના નાગરિકોનો વિરોધ

ગામના અગ્રણીઓએ વલસાડ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી ચણોદ ત્રણ રસ્‍તા ઉપર કેટલાક સમયથી નેતાઓના પુતળા રાખવાની કેટલાક લોકો દ્વારા હીલચાલ કરવામાં આવી રહી છે. જેનો ચણોદ ગામના નાગરિકોએ વિરોધ જાહેર કરી આજે વલસાડ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યુંહતું.
ચણોદ ત્રણ રસ્‍તાની ભોગોલિક સ્‍થિતિ મુજબ અહીંથી નાસિક સ્‍ટેટ હાઈવે તથા સેલવાસ મેઈન રોડ પસાર થાય છે. અહીં ત્રણ રસ્‍તા ઉપર રિક્ષા તથા ટેમ્‍પા સ્‍ટેન્‍ડ છે. તેમજ સવારે મજુરો એકત્રીત થાય છે. આખો દિવસ ટ્રાફિક સમસ્‍યા રહે છે. આવી વિષમ પરિસ્‍થિતિ હોવા છતાં કેટલાક લોકો અહીં નેતાના પૂતળા રાખવાની ચેષ્‍ટા કરી રહ્યા છે. અગાઉ ત્રણ પૂતળા રાખેલા હતા તેને ટ્રેઈલર ભટકાતા પુતળા રાખવાવાળાઓએ હોબાળો કરી ચક્કાજામ કર્યો હતો. બીજુ કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી વગર જાહેર રાજમાર્ગ ઉપર પુતળા રાખવાની થઈ રહેલી ગતિવિધિઓ સામે જ મૂળ ચણોદ ગામના નાગરિકો જ વિરોધ કરી રહ્યા છે. તે બાબતે પુતળા રાખવાના વિરોધમાં આજે ચણોદ ગ્રામવાસીઓએ વલસાડ કલેક્‍ટરને આવેદન આપી જાહેર હીત માટે પુતળા રાખવી પ્રક્રિયા અટકાવવાની માંગણી કરી હતી.

Related posts

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

vartmanpravah

સેલવાસમાં વિકાસના નામે વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોનો લેવાઈ રહ્યો છે ભોગ

vartmanpravah

જુલાઈ-2023 માસનો વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો: ગત માસના 9 અને ચાલુ માસના 28 મળી કુલ 37 અરજદારોના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ લક્ષદ્વીપની મુલાકાતેઃ અધિકારીઓ સાથેવિકાસલક્ષી પ્રોજેક્‍ટોની ચર્ચા-વિચારણાં

vartmanpravah

ચીખલી તાલુકા સહકારી રૂપાંતર અને વેચાણ કરનારી મંડળીના ચેરમેન પદે કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે લક્ષ્મણભાઈ રાઠોડની વરણી

vartmanpravah

વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનાની વોન્‍ટેડ મહિલા આરોપી સુરત પોલીસે ઝડપી લીધી

vartmanpravah

Leave a Comment