October 14, 2025
Vartman Pravah
નવસારી

વર્તમાન પ્રવાહનો પડઘો : અખબારી અહેવાલ બાદ ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ઉપર બામણવેલ પાટિયા પાસે માર્ગ-મકાન વિભાગ દ્વારા માટી દૂર કરવાની રસ્તાની કામગીરી હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.૦૫
ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ઉપર બામણવેલ પાટિયા નજીક માટીના થર જામી જતા અકસ્માત સર્જાવાના અખબારી અહેવાલ માર્ગ મકાન વિભાગ દ્વારા માટી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
વાહન વ્યવહારથી દિવસ-રાત ધમધમતા ચીખલી-વાંસદા રાજ્ય ધોરીમાર્ગ ઉપર બામણવેલ પાટિયા નજીક માર્ગની સપાટી ઉપર માટીના થર જામી જતા સામાન્ય વરસાદી ઝાપટામાં માર્ગની સપાટી ચીકણી થઈ જતા ટુ-વ્હિલર વાહનો સ્લીપ થતા વારંવાર અકસ્માતના બનાવો બની રહ્ના હતા.
આ ઉપરાંત માટીના પગલે ધૂળની ડમરીઓ ઉડતા આ સમગ્ર વિસ્તાર ધુળિયો બની જતા ખાસ કરીને ટુ-વ્હિલર વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી સર્જાઈ રહી હતી. આ વિસ્તારમાં આંતરિક માર્ગો પરથી આવતા માલવાહક વાહનોના ટાયર સાથે આવતી-માટી અને વરસાદી પાણીના પૂરતા નિકાલની વ્યવસ્થાના અભાવે સમસ્યા સર્જાય રહી હતી. આ અંગે કુકેરીના વેપારી અગ્રણી શ્રી રાકેશસિંહ દરબાર દ્વારા માર્ગ મકાન વિભાગમાં રજૂઆત પણ કરાઈ હતી.
ઉપરોક્ત સમસ્યા અંગેના અખબારી અહેવાલ બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે માટીના થર ખોદીને માટીને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ મકાન દ્વારા બામણવેલ પાટિયા નજીક માર્ગની સપાટી પરથી માટીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે તો માર્ગનું આયુષ્ય વધવા સાથે અકસ્માતોના બનાવો પણ ઘટશે. ત્યારે માર્ગ મકાન દ્વારા નક્કર કાર્યવાહી થાય તે જરૂરી છે.

Related posts

ચૂંટણી પંચ દ્વારા નજીકના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની શક્‍યતા વચ્‍ચે ચીખલી તાલુકાની ખાલી પડેલ અને વિભાજન થયેલી 10 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચની સામાન્‍ય અને પેટા ચૂંટણી માટે તંત્ર દ્વારા ગતિવિધિ તેજ કરવામાં આવી

vartmanpravah

વલસાડના છીપવાડ સ્‍થિત શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરમાં શરદ મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “Lifesaver CPR and Personal Health Record Management Workshop” વિષય ઉપર વ્‍યાખ્‍યાન અને વર્કશોપ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં આમધરા ગામમાં વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચારના વિરોધમાં ધરણા-પ્રદર્શન કરાયું

vartmanpravah

સિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તા. ૨૭ જૂને હરિયા પીએચસીમાં યોજાશે

vartmanpravah

વલસાડ સેવા મિત્ર મંડળ દ્વારા 20 માર્ચ વર્લ્‍ડ સ્‍પેરો ડેની ઉજવણી શરૂ : 4500 ચકલી ઘર-2500 બાઉલનું વિતરણ

vartmanpravah

Leave a Comment