Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્નોઈ સમાજ-ગુરુ જંભેશ્વર સેવા સંસ્‍થાન કરમબેલે દ્વારા નવરાત્રિ સ્‍થાપના દિવસે રક્‍તદાન શિબિરનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વિશ્નોઈ સમાજ-ગુરુ જંભેશ્વરસેવા સંસ્‍થાન કરમબેલે દ્વારા 15 ઓક્‍ટોબર 2023 ના રોજ નવરાત્રિ સ્‍થાપના દિવસે રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બ્‍લડ બેંક દ્વારા 150 જેટલા યુનિટ રક્‍ત એકત્ર કરવામાં આવ્‍યું હતું. લાયન્‍સ ક્‍લબ બ્‍લડ બેંક અને રોટરી ક્‍લબ ઓફ વાપીને વિશ્નોઈ સમાજનાસ્ત્રી-પુરુષો દ્વારા 150 યુનિટ રક્‍તનું દાન કરવામાં આવ્‍યું હતું. રાજસ્‍થાની સમાજના પરપ્રાંતિય ભાઈઓ દ્વારા રક્‍તદાતાઓને અદ્ભુત ભેટ અર્પણ કરવામાં આવી હતી.
પોતાના હિતોના રક્ષણ માટે, બિશ્નોઈ સમુદાય 29 નિયમોને અનુસરીને લોક કલ્‍યાણ માટે વર્ષમાં ત્રણથી ચાર વખત આવા કાર્યક્રમોનું આયોજન કરે છે. સંસ્‍થાના પ્રમુખના જણાવ્‍યા મુજબ, રમેશ જી ગોદારા, ચૌધરી, જાટ, પૂજારી, દેવસી રાજપૂત અને રાજસ્‍થાનના ભાટી સમાજના પરપ્રાંતિય ભાઈઓ પણ હાજર રહ્યા હતા.

Related posts

સેલવાસ પોલીસ ચોકીમાં કાર્યરત હોમગાર્ડે ચોરીનો પ્રયાસ કરનારને રોક્યા

vartmanpravah

કપરાડા તાલુકામાં મનરેગા અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સેલવાસ ન.પા.ના ડિમોલીશન અભિયાનમાં વ્‍યવહારિક અને સંવેદનશીલ અભિગમ રાખવા નિષ્‍ફળ ગયેલા સી.ઓ. સુનભ સિંઘની આખરે છૂટ્ટી

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ યોગ દિવસ 21મી જૂનની ઉજવણી સંદર્ભે કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ઉદવાડા-પરિયાના આધાર ટ્રસ્‍ટ ખાતે ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

પારડી નગરપાલિકાની મુલાકાત લેતા પ્રાદેશિક કમિશ્નર

vartmanpravah

Leave a Comment