September 9, 2026
Vartman Pravah
દમણ

દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.૦૭ઃ
સંઘપ્રદેશ દમણમાં આજરોજ નવો ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો છે. જયારે ૦૨ દર્દીઅો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પ્રદેશમાં હાલમાં કુલ ૦૬ સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં ૩૪૭૪ દર્દીઅો કોરોનામુક્ત થઈ ચુક્યા છે, જ્યારે ફક્ત ૧ વ્યક્તિનું કોરોનાથી મોત થયેલ હોવાનું પ્રશાસનની અખબારી યાદીમાં જણાવાયું છે.
પ્રા માહિતી મુજબ આજે દમણમાં ૫રપ નમૂનાઓ તપાસ માટે લેવામાં આવ્યા હતા. જેમાંથી ૦૧ વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો. જ્યારે ર દર્દી રિક્વર થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પ્રદેશમાં ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો છે. જેમાં નાયલા પારડી મોટી દમણનો સમાવેશથાય છે. દમણમાં હાલમાં ૦૩ કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર છે. જેમાં દલવાડા-૦૧, નાની દમણ નગર પાલિકા વિસ્તારમાં ૦૧, મોટી દમણમાં ૦૧ સ્થળોનો સમાવેશ થાય છે.
દમણ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા હોસ્પિટલ અને પીઍચસી, સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. જેમાં આજે ૧૮થી ૪૪ વર્ષની વયના ૬૦૬ સહિત કુલ ૧,૭૬૮ લોકોનું કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી પ્રદેશમાં કુલ ૧,૯૮,ર૧૪ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે.

Related posts

નેહરૂ યુવા કેન્‍દ્ર સંગઠન દમણના સ્‍વયં સેવક હર્ષિલ ભંડારીએ પ્રશાસકશ્રીની મુલાકાત કરી પોતાની સંસદ યાત્રાના રજૂ કરેલા અનુભવો

vartmanpravah

દાનહઃ કલા ગામ સ્‍થિત કે.બી.એસ. કંપનીમાં આઇ.ટી. વિભાગે કરેલો સર્વે

vartmanpravah

સંવિધાનના કારણે જ માનવ અધિકારોનું ઉલ્લંઘન થતા બચ્‍યું છેઃ ન્‍યાયમૂર્તિ એન.જે.જમાદાર

vartmanpravah

દીવના ઘોઘલામાં વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થયેલા પોસ્‍ટમેન ડાહ્યાભાઈ પરમારને આપવામાં આવ્‍યું નિવૃતિ વિદાયમાન

vartmanpravah

આર્ટ ઓફ લિવિંગના દમણ ચેપ્‍ટર દ્વારા ત્રિ-દિવસીય સહજ સમાધી ધ્‍યાન અભ્‍યાસક્રમનું કરાયેલું સફળ આયોજન

vartmanpravah

કમ્‍ફર્ટ(આરામદાયક) લાઈફમાં ઉન્‍નતિ નથી : નેતાગીરી માટે પહેલ આવશ્‍યક

vartmanpravah

Leave a Comment