Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા મોરખલમાં આરક્ષિત જંગલની જમીન પર કબ્‍જો કરનાર બે વ્‍યક્‍તિની કરાયેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.26: દાદરા નગર હવેલીનો લગભગ 40 ટકા વિસ્‍તાર જંગલોથી ઘેરાયેલો છે અને તેમાં મોટો ભાગ આરક્ષિત જંગલ તરીકે છે. આ આરક્ષિત જંગલની જમીનમાં ઊગેલા વૃક્ષોને કેટલાક લોકો દ્વારા નુકસાન કરવામાં આવી રહ્યું છે. જે વનવિભાગના અધિકારીઓના ધ્‍યાનમાં આવતાં દાનહના મોરખલ ગામમાં વન વિભાગ દ્વારા વર્ષ 2016-17 દરમિયાન કરવામાં આવેલ વૃક્ષારોપણની જગ્‍યામાં ગેરકાયદેસર કબજો કરી ખેતી કરવામાં આવી રહી હતી. જેમાં બેવ્‍યક્‍તિ સામે આઈ.એફ.એ. 1927 સેક્‍શન-26 અને પબ્‍લિક પરમીશન એક્‍ટ-1971 સેક્‍સન-5, 11 મુજબ એફ.આઈ.આર. દાખલ કરીને આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર, ફોરેસ્‍ટર શ્રી નરેશ પટેલ, બીટ ઓફિસર શ્રી સતીશ પ્રજાપતિની ટીમે (1)નૈનેસ વળવી (2)મગન વળવી (બન્ને રહેવાસી મોરખલ) નામના વ્‍યક્‍તિની ધરપકડ કરવામાં આવી હતી. આગળની વધુ કાર્યવાહી આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર કરી રહ્યા છે.
વન વિભાગના અધિકારીના જણાવ્‍યા અનુસાર આરક્ષિત વન અને વન્‍યજીવ અભ્‍યારણને નુકસાન કરનાર સામે આઈ.એફ.એ. 1927, ડબ્‍લ્‍યુએલપી એક્‍ટ 1972 મુજબ ત્રણ વર્ષની કેદ થઈ શકે છે. બન્ને આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યા હતા.

Related posts

જયેષ્ઠ નાગરિક (પેન્શન) મંડળની 5 જૂને સભા યોજાશે

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે દમણ જિ.પં. અને ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખ પદે અનુ.જનજાતિના ઉમેદવારની પસંદગી કરવા પ્રદેશ ભાજપને કરેલી રજૂઆત

vartmanpravah

સેલવાસમાં બાઈકનું હેન્‍ડલ લાગવાને કારણે રાહદારીનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના ગ્રામવાસીઓએ ઊર્જાના સંરક્ષણ માટે લીધા શપથ

vartmanpravah

વાપીમાં અનંત ચૌદશે બાપ્‍પાની ભાવિકોએ અશ્રુભીની આંખે ભાવવિભોર બની વિદાયઆપી

vartmanpravah

દાનહના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા સની ભીમરાએ ખરડપાડાના ખાડીપાડા વિસ્‍તારની લીધેલી મુલાકાતઃ ગામલોકો સાથે કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

Leave a Comment