(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.26: દાદરા નગર હવેલીનો લગભગ 40 ટકા વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે અને તેમાં મોટો ભાગ આરક્ષિત જંગલ તરીકે છે. આ આરક્ષિત જંગલની જમીનમાં ઊગેલા વૃક્ષોને કેટલાક લોકો દ્વારા નુકસાન કરવામાં આવી રહ્યું છે. જે વનવિભાગના અધિકારીઓના ધ્યાનમાં આવતાં દાનહના મોરખલ ગામમાં વન વિભાગ દ્વારા વર્ષ 2016-17 દરમિયાન કરવામાં આવેલ વૃક્ષારોપણની જગ્યામાં ગેરકાયદેસર કબજો કરી ખેતી કરવામાં આવી રહી હતી. જેમાં બેવ્યક્તિ સામે આઈ.એફ.એ. 1927 સેક્શન-26 અને પબ્લિક પરમીશન એક્ટ-1971 સેક્સન-5, 11 મુજબ એફ.આઈ.આર. દાખલ કરીને આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર, ફોરેસ્ટર શ્રી નરેશ પટેલ, બીટ ઓફિસર શ્રી સતીશ પ્રજાપતિની ટીમે (1)નૈનેસ વળવી (2)મગન વળવી (બન્ને રહેવાસી મોરખલ) નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આગળની વધુ કાર્યવાહી આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર કરી રહ્યા છે.
વન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આરક્ષિત વન અને વન્યજીવ અભ્યારણને નુકસાન કરનાર સામે આઈ.એફ.એ. 1927, ડબ્લ્યુએલપી એક્ટ 1972 મુજબ ત્રણ વર્ષની કેદ થઈ શકે છે. બન્ને આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.