Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા મોરખલમાં આરક્ષિત જંગલની જમીન પર કબ્‍જો કરનાર બે વ્‍યક્‍તિની કરાયેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.26: દાદરા નગર હવેલીનો લગભગ 40 ટકા વિસ્‍તાર જંગલોથી ઘેરાયેલો છે અને તેમાં મોટો ભાગ આરક્ષિત જંગલ તરીકે છે. આ આરક્ષિત જંગલની જમીનમાં ઊગેલા વૃક્ષોને કેટલાક લોકો દ્વારા નુકસાન કરવામાં આવી રહ્યું છે. જે વનવિભાગના અધિકારીઓના ધ્‍યાનમાં આવતાં દાનહના મોરખલ ગામમાં વન વિભાગ દ્વારા વર્ષ 2016-17 દરમિયાન કરવામાં આવેલ વૃક્ષારોપણની જગ્‍યામાં ગેરકાયદેસર કબજો કરી ખેતી કરવામાં આવી રહી હતી. જેમાં બેવ્‍યક્‍તિ સામે આઈ.એફ.એ. 1927 સેક્‍શન-26 અને પબ્‍લિક પરમીશન એક્‍ટ-1971 સેક્‍સન-5, 11 મુજબ એફ.આઈ.આર. દાખલ કરીને આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર, ફોરેસ્‍ટર શ્રી નરેશ પટેલ, બીટ ઓફિસર શ્રી સતીશ પ્રજાપતિની ટીમે (1)નૈનેસ વળવી (2)મગન વળવી (બન્ને રહેવાસી મોરખલ) નામના વ્‍યક્‍તિની ધરપકડ કરવામાં આવી હતી. આગળની વધુ કાર્યવાહી આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર કરી રહ્યા છે.
વન વિભાગના અધિકારીના જણાવ્‍યા અનુસાર આરક્ષિત વન અને વન્‍યજીવ અભ્‍યારણને નુકસાન કરનાર સામે આઈ.એફ.એ. 1927, ડબ્‍લ્‍યુએલપી એક્‍ટ 1972 મુજબ ત્રણ વર્ષની કેદ થઈ શકે છે. બન્ને આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યા હતા.

Related posts

વલસાડ એસટી વિભાગ વેકેશન દરમિયાન વધારાની લોકલ અને એક્‍સપ્રેસ બસો દોડાવશે

vartmanpravah

‘નશામુક્‍ત ભારત’ અભિયાનઅંતર્ગત સંઘપ્રદેશમાં માદક પદાર્થોના જોખમ વિરુદ્ધ લડાઈ માટે સેલવાસ ન.પા.ના સભાખંડમાં જાગૃતિ બેઠક યોજાઈ

vartmanpravah

વાપી વીઆઈએમાં ગાંધી જયંતી ઉપક્રમે ત્રીદિવસીય નિઃશુલ્‍ક આયુર્વેદ શિબિરનું કરાયેલું ઉદ્દઘાટન

vartmanpravah

દાનહઃ કેન્‍દ્રીય પ્રાથમિક શાળા આંબોલીમાં 55મો કેન્‍દ્ર કક્ષાનો રમતોત્‍સવ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશમાં મંગળવારથી બોર્ડની પરીક્ષાનો આરંભ : કુલ 58738 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના સોમનાથ મંડળમાં યોજાયેલ બૂથ સશક્‍તિકરણ બેઠક: પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરે આપેલું મનનીયમાર્ગદર્શન

vartmanpravah

Leave a Comment