નવી દિલ્હી 08-07-2021
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વીરભદ્રસિંહજીનાઅવસાનઅંગે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,”શ્રી વીરભદ્રસિંહજીની લાંબી રાજકીય કારકીર્દિ હતી, સમૃદ્ધ વહીવટી અને કાયદાકીય અનુભવ સાથે તેમણે હિમાચલ પ્રદેશમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને રાજ્યની પ્રજાની સેવા કરી હતી. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવારજનો અને પ્રસંશકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.”