April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઁ વિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાબડા ગામના નિરાધાર અને વિધવા બહેનોને અનાજની કીટનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડના રાબડા ગામમાં રહેતા વિધવા બહેનો તથા નિરાધાર પરિવારને માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્‍થાપક શ્રી મહાપાત્રની પ્રેરણાથી દરવર્ષે દિવાળીના તહેવાર પર જીવન જરૂરી ચીજ વસ્‍તુઓની કીટનું નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવે છે.
તા.22-10-2022 ધન તેરસને શનિવારના રોજ માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાબડા ગામના વિધવા બહેનો તથા નિરાધાર પરિવારને અનાજ, ચોખા, તેલ, ખાંડ, કઠોળ વિગેરે જીવન જરૂરી એવા અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે તેવા શુભ આશયથી 160 થી વધુ પરિવારોને આપવામાં આવેલ આ અનાજ કીટથી રાબડા ગામમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી. અનાજની કીટનું વિતરણ માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્‍થાપક શ્રી મહાપાત્ર, ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ, શ્રી કિરીટભાઈ ડેડાણીયા તેમજ રાબડા ગામના સરપંચ શ્રીમતી કિન્નરીબેન પટેલ તથા ગામના આગેવાન શ્રી ઠાકોરભાઈ પટેલ, અમરતભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, માજી સરપંચશ્રી જસવંતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યો હતો.

Related posts

દાનહના ડોકમર્ડી પ્રશિક્ષણ કેન્‍દ્ર ખાતે નવનિયુક્‍ત સરકારી પ્રાથમિક શિક્ષકો માટે તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

દીવ પ્રશાસક દ્વારા નાગવા બીચથી ઘોડિધર બીચ પર 5 કિ.મી. લાંબી માનવ સાંકળનું આયોજન

vartmanpravah

વાપીમાં નવીન સ્‍ટાર્ટઅપ ટિકકુ કોન્‍ડિમેન્‍ટ્‍સ પ્રા.લી.નું કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઈએ ઉદઘાટન કર્યું

vartmanpravah

પારડીની સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્ન

vartmanpravah

આવતીકાલથી વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની જાહેર પરિક્ષા ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે શરૂ થશે

vartmanpravah

પારડી રેલવે ફાટક 8 ડિસેમ્‍બર સુધી લાઈન મેન્‍ટેનન્‍સ માટે સાત દિવસ બંધ રહેશે

vartmanpravah

Leave a Comment