Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઁ વિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાબડા ગામના નિરાધાર અને વિધવા બહેનોને અનાજની કીટનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડના રાબડા ગામમાં રહેતા વિધવા બહેનો તથા નિરાધાર પરિવારને માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્‍થાપક શ્રી મહાપાત્રની પ્રેરણાથી દરવર્ષે દિવાળીના તહેવાર પર જીવન જરૂરી ચીજ વસ્‍તુઓની કીટનું નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવે છે.
તા.22-10-2022 ધન તેરસને શનિવારના રોજ માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાબડા ગામના વિધવા બહેનો તથા નિરાધાર પરિવારને અનાજ, ચોખા, તેલ, ખાંડ, કઠોળ વિગેરે જીવન જરૂરી એવા અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે તેવા શુભ આશયથી 160 થી વધુ પરિવારોને આપવામાં આવેલ આ અનાજ કીટથી રાબડા ગામમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી. અનાજની કીટનું વિતરણ માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્‍થાપક શ્રી મહાપાત્ર, ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ, શ્રી કિરીટભાઈ ડેડાણીયા તેમજ રાબડા ગામના સરપંચ શ્રીમતી કિન્નરીબેન પટેલ તથા ગામના આગેવાન શ્રી ઠાકોરભાઈ પટેલ, અમરતભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, માજી સરપંચશ્રી જસવંતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યો હતો.

Related posts

અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાનહ સેલવાસના આદિવાસી ભવનમાં વિવિધ સ્‍વરોજગારની તાલીમ આપવાના નવતર કાર્યક્રમનો આરંભ

vartmanpravah

પારડી હાઈવે વલ્લભ આશ્રમ સામે યુવાનનું બાઈક ગ્રીલ સાથે ભટકાતા ઘટના સ્‍થળે મોત 36 વર્ષિય નિતિનભાઈ ગજેરાએ બાઈકનો કાબુ ગુમાવતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડર ઘટનાની મુલાકાત લેતા રેન્‍જ આઈ.જી. પ્રેમવીરસિંહ

vartmanpravah

દાનહના વાસોણા લાયન સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન: જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી એક સિંહને લાવવામાં આવ્‍યો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 14મી નવેમ્‍બરે આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.આર.એસ. જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે માર્ગદર્શન શિબિરનું આયોજન

vartmanpravah

Leave a Comment