October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઁ વિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાબડા ગામના નિરાધાર અને વિધવા બહેનોને અનાજની કીટનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડના રાબડા ગામમાં રહેતા વિધવા બહેનો તથા નિરાધાર પરિવારને માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્‍થાપક શ્રી મહાપાત્રની પ્રેરણાથી દરવર્ષે દિવાળીના તહેવાર પર જીવન જરૂરી ચીજ વસ્‍તુઓની કીટનું નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવે છે.
તા.22-10-2022 ધન તેરસને શનિવારના રોજ માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાબડા ગામના વિધવા બહેનો તથા નિરાધાર પરિવારને અનાજ, ચોખા, તેલ, ખાંડ, કઠોળ વિગેરે જીવન જરૂરી એવા અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે તેવા શુભ આશયથી 160 થી વધુ પરિવારોને આપવામાં આવેલ આ અનાજ કીટથી રાબડા ગામમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી. અનાજની કીટનું વિતરણ માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્‍થાપક શ્રી મહાપાત્ર, ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ, શ્રી કિરીટભાઈ ડેડાણીયા તેમજ રાબડા ગામના સરપંચ શ્રીમતી કિન્નરીબેન પટેલ તથા ગામના આગેવાન શ્રી ઠાકોરભાઈ પટેલ, અમરતભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, માજી સરપંચશ્રી જસવંતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યો હતો.

Related posts

યુઆઈએના પ્રમુખ તરીકે નરેશ બંથીયાની વરણી

vartmanpravah

સરીગામમાં ભંગારના ધંધા માટે લોહીયાળ જંગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલે પોતાના કાર્યકાળના પ્રથમ દિવસથી માંડી આજપર્યંત જે કહ્યું તે કરી બતાવ્‍યું

vartmanpravah

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે કેન્‍દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવને ટ્રેનોના સ્‍ટોપેજ અંગે રજૂઆત કરી

vartmanpravah

NCTEએ શૈક્ષણિક સત્ર 2021-22 અને 2022-23 માટે શિક્ષક શિક્ષણ સંસ્થાઓના પ્રદર્શન મૂલ્યાંકન અહેવાલ સબમિટ કરવા માટે નોટિસ બહાર પાડી

vartmanpravah

વાપી વી.આઈ.એ. ઈમ્‍પેક્‍ટનું આઠમું નજરાણું : વાંસળી અને સુદર્શન વિષય ઉપર કવિ અંકિત ત્રિવેદી છવાયા

vartmanpravah

Leave a Comment