October 14, 2025
Vartman Pravah
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં 3896 વ્‍યક્‍તિઓએ વોક ઈન વેક્‍સિનેશનનો લાભ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.26: તા. 21 મી જૂનથી સમગ્ર રાજયમાં વોક ઇન વેકસિનેશનનો પ્રારંભ કરાયો છે. વલસાડ જિલ્‍લામાં આ મહાઅભિયાન અંતર્ગત તા.26/07/2021ના રોજ સાંજે 4-00 કલાક સુધીમાં કુલ 75 રસીકરણ કેન્‍દ્રો ઉપર 3896 વ્‍યક્‍તિઓનું વેકસીનેશન કરાયું છે. જે મુજબ તાલુકાવાઇઝ વિગતો જોઇએ તો વલસાડ તાલુકામાં 1219, પારડીમાં 460, વાપીમાં 968, ઉમરગામમાં 731, ધરમપુર 337 તેમજ કપરાડામાં 181 જેટલા વ્‍યક્‍તિઓનું વેક્‍સિનેશન કરવામાં આવ્‍યું છે.

રાજીવગાંધી હોલ, જિલ્લા પંચાયત વલસાડ ખાતે અભ્‍યાસ નોકરી અર્થે વિદેશ જનારા વ્‍યક્‍તિઓને તા.27/7/21ના રોજ રસીનો બીજો ડોઝ આપવામાં આવશે. આગામી દિવસોમાં વેકસીનેશનની ઝડપ વધારવામાં આવશે, ત્‍યારે વલસાડ જિલ્લાના વધુમાં વધુ લોકો વેકસીનશનનો લાભ લઈ કોરોનામુક્‍ત અભિયાનમાં સહયોગ આપવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.અનિલ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

હેગ ન્‍યાયાલયનો ચુકાદો અને ભારતમાં વિલિનીકરણ

vartmanpravah

વાપીમાં મળસ્‍કે ફુડ કંપનીમાં ભિષણ આગ લાગી : આગના ધુવાડા કિલોમીટર સુધી વિસ્‍તર્યા હતા

vartmanpravah

વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમ્‍યા મોહને પૂરઅસરગ્રસ્‍ત કાશ્‍મીરનગર-બરૂડીયાવાડની મુલાકાત લીધી

vartmanpravah

વાપી ચલામાં યોજાયેલી કરાટેની પરિક્ષામાં ઉત્તીર્ણ થતાં 100 ઉપરાંત વિદ્યાર્થીઓ

vartmanpravah

દીવ સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં ‘જલ શક્‍તિ અભિયાન અંતર્ગત’ જલ સંચય જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહની દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં 7 દિવસીય ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’નું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment