Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ભીલાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત તિરંગા યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12
ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આજરોજ રાજકીય આગેવાન શ્રી કપિલભાઈ જાદવની આગેવાની હેઠળ તિરંગા યાત્રાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજિત રેલીનો પ્રારંભ સવારના 11:00 કલાકે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ શાળાના પટાંગણમાંથી કરવામાં આવ્‍યો હતો. અને ગુરુદેવ નગર ખાતે યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભીલડવાસીઓ મોટી સંખ્‍યામાં જોડાઈને દેશભક્‍તિનુ પ્રતિબિંબ રજૂ કર્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના સંત શ્રી સ્‍વરૂપદાસજી, ધારાસભ્‍ય શ્રીરમણભાઈ પાટકર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડા, ભિલાડ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી વૈશાલીબેન જાદવ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી ભરતભાઈ જાદવ, આગેવાન શ્રી રામદાસ વરઠા, શ્રી પિયુષભાઈ શાહ, જૈન સોશિયલ ગ્રુપના અગ્રણી શ્રી નીતિનભાઈ રાણાવત, મુસ્‍લિમ સમાજના આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ સહિત મોટી સંખ્‍યામાં હાજરી જોવા મળી હતી.

Related posts

દમણ જિલ્લા ભાજપ કિસાન મોર્ચાના ઉપ પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની નિમણૂંક : ખેડૂતોમાં ઉત્‍સાહ અને આનંદની લાગણી

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યક્‍તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સાત દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી માધ્‍યમિક શાળા મસાટ ખાતે બે દિવસીય ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ સમાજ કલ્‍યાણ વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

આજે દાનહ ભાજપ મહિલા મોર્ચા દ્વારા મેડિકલ કેમ્‍પ યોજાશે

vartmanpravah

Leave a Comment