April 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ભીલાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત તિરંગા યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12
ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આજરોજ રાજકીય આગેવાન શ્રી કપિલભાઈ જાદવની આગેવાની હેઠળ તિરંગા યાત્રાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજિત રેલીનો પ્રારંભ સવારના 11:00 કલાકે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ શાળાના પટાંગણમાંથી કરવામાં આવ્‍યો હતો. અને ગુરુદેવ નગર ખાતે યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભીલડવાસીઓ મોટી સંખ્‍યામાં જોડાઈને દેશભક્‍તિનુ પ્રતિબિંબ રજૂ કર્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના સંત શ્રી સ્‍વરૂપદાસજી, ધારાસભ્‍ય શ્રીરમણભાઈ પાટકર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડા, ભિલાડ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી વૈશાલીબેન જાદવ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી ભરતભાઈ જાદવ, આગેવાન શ્રી રામદાસ વરઠા, શ્રી પિયુષભાઈ શાહ, જૈન સોશિયલ ગ્રુપના અગ્રણી શ્રી નીતિનભાઈ રાણાવત, મુસ્‍લિમ સમાજના આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ સહિત મોટી સંખ્‍યામાં હાજરી જોવા મળી હતી.

Related posts

વાપી વીઆઈએ નજીક ઈલેક્‍ટ્રીકની દુકાનમાં આગ લાગી

vartmanpravah

દમણ-દીવ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છેઃ કોંગ્રેસનો દાવપેચ કે પછી હવા-હવાઈ

vartmanpravah

પારડી નજીક ગાંધીધામ ટ્રેન આગળ પડતું મૂકી 30 વર્ષીય અજાણ્‍યા યુવકનો આપઘાત

vartmanpravah

દાનહ ભાજપ યુવા મોર્ચાએ પ્રધાનમંત્રીના જાનને ખતરામાં નાંખવાની ચેષ્‍ટા કરનારી પંજાબની કોંગ્રેસ સરકારનો કરેલો વિરોધ

vartmanpravah

રવિવારે દમણમાં 13, દાનહમાં 11 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દીવમાં રાહતના સમાચાર

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ગૌ ધનની ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

Leave a Comment