Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

75 માં સ્‍વતંત્રદિનના પર્વ નિમિતે કેબીએસ એન્‍ડનટરાજ કોલેજમાં તિરંગો લહેરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
અત્રે ચણોદ કોલોની સ્‍થિત કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજમાં 75 માં સ્‍વતંત્રદિનની ઉજવણીના ભાગરૂપ એડવોકેટ શ્રીમતિ ભારતીબેન બ્રહ્મભટ્ટના વરદ હસ્‍તે તિરંગો લહેરાવવામાં આવ્‍યો હતો અને આ પ્રસંગે બીજેપી- ઓબીસી મોર્ચા વાપી નોટીફાઈડ એરિયા પ્રમુખ શ્રી બિમલભાઈ ચૌહાણ, કોલેજના સ્‍ટાફ તથા વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ હાજર રહી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્‍યા હતા. તેમજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ પ્રસંગે એડવોકેટ શ્રીમતી ભારતીબેન બ્રહ્મભટ્ટ દ્વારા પ્રસંગોપાત ઉદભોદન કરી દરેક વિધાર્થીઓને રાષ્‍ટ્રના વિકાસમાં સહકાર આપી ભારત દેશને આત્‍મનિર્ભર બનાવવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા. આમ, સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય શ્રીમતી ડો.પૂનમ બી.ચૌહાણે મુખ્‍ય મહેમાન, આમંત્રિત મહેમાનો, ટ્રસ્‍ટીગણ, સ્‍ટાફગણ તથા વિદ્યાર્થી મિત્રોનો આભાર માની દેશની વિવિધ સેવાઓમાં ભાગીદાર બનવાની ખાત્રી આપતા, શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે વધુ 59637 ફોર્મ ભરાયા

vartmanpravah

પારડી તાલુકાના ટૂકવાડા-મોરાઈ ગામ ખાતે બની ગોઝારી ઘટના: કોલક નદીમાં ન્‍હાવા આવેલા વાપીના 6 સગીરો પૈકી પાંચને બચાવાયા, એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

ધરમપુર તાલુકાની ગડી આશ્રમશાળાનું પી.પી.પી. ધોરણે નવીનિકરણ કરાશે

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઈન્‍ટર કોલેજ ખોખો સ્‍પર્ધાનું આયોજન થયું

vartmanpravah

ભાભીએ નણંદને માનસિક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મુકતાં પીડિત મહિલાને 181 અભયમ ટીમે કરી મદદ

vartmanpravah

વિદેશ જવા રૂપિયા માંગી અને ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા ચીખલીના ઘેકટીના પતિ અને સાસુ-સસરા વિરૂધ્ધ પરણિતાઍ નોંધાવેલી ફરિયાદ

vartmanpravah

Leave a Comment