September 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમગ્ર શિક્ષા વિભાગ દીવ દ્વારા ધો. 3 થીપના શિક્ષકો માટે ત્રિ-દિવસીય beyond basic તાલીમનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: સમગ્ર શિક્ષા, શિક્ષા વિભાગ – દીવ દ્વારા ધોરણ – 3 થી 5 ના કુલ 39 શિક્ષકો માટે તારીખ 7/08/ 2024 થી તા. 9/08/2024 એમ ત્રણ દિવસ beyond basic તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ તાલીમ દરમિયાન જે બાળકો વાર્તા વાંચી શકે છે, તે બાળકો કઈ રીતે સ્‍વતંત્ર લેખન તરફ આગળ વધે અને કોઈ પણ પાઠ કે કાવ્‍યનું અર્થગ્રહણ કરી શકે આ ઉપરાંત તેને અનુરૂપ વિદ્યાર્થીઓનું મૂલ્‍યાંકન કઈ રીતે કરવું તેની તાલીમ વિવિધ પ્રવૃતિઓ દ્વારા આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં રક્ષાબહેન મામતોરા, અર્ચનાબહેન મોર, ચંદુલાલ વાઘેલા, મનીષાાબહેન સોલંકીએ તજજ્ઞ (માસ્‍ટર્સ ટ્રેનર્સ) તરીકે પોતાની ભૂમિકા નિભાવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં દીવ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર. કે. સિંઘ, જિલ્લા પંચાયતના એજ્‍યુકેશન ઓફિસર પિયુષ મારું, આસિસ્‍ટન્‍ટ ડીસ્‍ટ્રીકટ પ્રોજેક્‍ટ ઓફિસર અરવિંદ સોલંકી, બી. આર. સી. દિવ્‍યેશ જેઠવા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજથી ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ સંઘપ્રદેશના ત્રણ દિવસના પ્રવાસેઃ દમણ-દીવ અને દાનહ ઉપ રાષ્‍ટ્રપતિના સત્‍કાર માટે સજ્જ

vartmanpravah

મુંબઈથી પેસેન્‍જરો સાથે દારૂ લઈ જતી લક્‍ઝરી બસ બગવાડા હાઈવે પર ઝડપાઈ

vartmanpravah

વાપી રેલવે ફાટકે યાંત્રિક ખામી સર્જાતા માત્ર એક સાઈડનું ફાટક ખુલતા અંધાધૂંધી સર્જાઈ

vartmanpravah

પ્રશાસનની ઝીરો ટોલરન્‍સની નીતિ મુજબ સેલવાસ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

vartmanpravah

26-વલસાડ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના થયા શ્રીગણેશ : ભાજપ દ્વારા 4 ઉમેદવારી પત્ર ભરાયા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં આજે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ઓબીસી મોર્ચા દ્વારા ભગવાન વિશ્વકર્માની મહાપૂજાનું આયોજન: વિશાળ બાઈક રેલી પણ યોજાશે

vartmanpravah

Leave a Comment