April 19, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમગ્ર શિક્ષા વિભાગ દીવ દ્વારા ધો. 3 થીપના શિક્ષકો માટે ત્રિ-દિવસીય beyond basic તાલીમનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: સમગ્ર શિક્ષા, શિક્ષા વિભાગ – દીવ દ્વારા ધોરણ – 3 થી 5 ના કુલ 39 શિક્ષકો માટે તારીખ 7/08/ 2024 થી તા. 9/08/2024 એમ ત્રણ દિવસ beyond basic તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ તાલીમ દરમિયાન જે બાળકો વાર્તા વાંચી શકે છે, તે બાળકો કઈ રીતે સ્‍વતંત્ર લેખન તરફ આગળ વધે અને કોઈ પણ પાઠ કે કાવ્‍યનું અર્થગ્રહણ કરી શકે આ ઉપરાંત તેને અનુરૂપ વિદ્યાર્થીઓનું મૂલ્‍યાંકન કઈ રીતે કરવું તેની તાલીમ વિવિધ પ્રવૃતિઓ દ્વારા આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં રક્ષાબહેન મામતોરા, અર્ચનાબહેન મોર, ચંદુલાલ વાઘેલા, મનીષાાબહેન સોલંકીએ તજજ્ઞ (માસ્‍ટર્સ ટ્રેનર્સ) તરીકે પોતાની ભૂમિકા નિભાવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં દીવ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર. કે. સિંઘ, જિલ્લા પંચાયતના એજ્‍યુકેશન ઓફિસર પિયુષ મારું, આસિસ્‍ટન્‍ટ ડીસ્‍ટ્રીકટ પ્રોજેક્‍ટ ઓફિસર અરવિંદ સોલંકી, બી. આર. સી. દિવ્‍યેશ જેઠવા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મોટી દમણનું ભાગ્‍ય બદલનારા જમ્‍પોર બર્ડ સેન્‍ચુરી પાર્કનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નિરીક્ષણ કરી આપેલા જરૂરી દિશા-નિર્દેશો

vartmanpravah

આગામી લોકસભાની ચૂંટણીમાં દમણ-દીવની બેઠક જીતનું પુનરાવર્તન કરશેઃ કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેનો વિશ્વાસ

vartmanpravah

પેશવાએ પોર્ટુગીઝોને નગર હવેલી સરંજામ તરીકે આપી હોવાથી પોર્ટુગીઝોને દમણમાંથી દાદરા સિલવાસા જવું હોય તો પણ પેશવાની પરવાનગી લેવી પડતી

vartmanpravah

‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહ જિલ્લા સ્‍તરીય પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

આહવા વઘઈ શિવઘાટના વળાંક પાસે જૂનિયર ક્‍લાર્કના પરીક્ષાર્થીઓને નડયો અકસ્‍માત

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષતામાં વાપી ખાતે ગુરૂક્રાંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment