April 29, 2024
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરવામાં આવેલી જોરશોરથી ઉજવણી

દેશમાં મહિલાઓ અસુરક્ષિત હોવાની સાથે કેન્‍દ્રની મોદી સરકાર માત્ર નારા અને જૂમલાઓથી ચાલી રહી છેઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08 : દાનહ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જોરશોરથી ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાનહ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી માધુરીબેન માહલા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ પ્રાસંગિક સંબોધન કરતાં જણાવ્‍યું હતું કે કેન્‍દ્રની મોદી સરકાર માત્ર નારા અને જૂમલાઓથી ચાલી રહી છે. શ્રી શર્માએ જણાવ્‍યું હતું કે, જ્‍યારે આંતરરાષ્‍ટ્રીય મહિલા ખેલાડીઓ સરકારના હાથે જ સુરક્ષિત નથી તો સામાન્‍ય મહિલાઓની શું વિસાત? મહિનાઓ સુધી ધરણાં-વિરોધ પ્રદર્શન કરવા છતાં કોઈ સુનાવણી થતી નથી, તેના બદલે ગુનેગારોને બચાવવા અને પીડિતોને કચડી નાખવાના પ્રયાસો કરવામાં આવે છે. જ્‍યારે બીજી બાજુ મહિલા સશક્‍તિકરણનું સૂત્ર આપવામાં આવ્‍યું છે. શ્રી મહેશભાઈ શર્માએ પ્રધાનમંત્રી શ્રી મોદી અને ઉત્તર પ્રદેશની યોગી સરકારની મહિલા વિરોધી નીતિઓની આકરી નિંદા કરી હતી.
આ પ્રસંગે સેંકડોની સંખ્‍યામાં મહિલાઓ હાજર રહી હતી.કાર્યક્રમમાં બી.એલ.ઓ. પણ ઉપસ્‍થિત રહ્યા હતા જેમને આગામી ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને મતદાર યાદીની સાથે તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાન શ્રી કેતનભાઈ પટેલ, શ્રી સંદીપ ભીમરા, શ્રી મહેશભાઈ ધોડી તથા શ્રી અજીત માહલા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની નવી સમિતિની કરાયેલી રચના બાદ ડો. વિશાલ ટંડેલની અધ્‍યક્ષતામાં દેવકાની હોટલ તાનિયા સી રોકમાં યોજાયેલી બેઠક

vartmanpravah

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દમાં દોઢ વર્ષે પણ આંગણવાડીનું બાંધકામ પૂર્ણ નહીં થતાં નાના ભૂલકાંઓ ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ ઐતિહાસિક સિદ્ધિ : ત્રીજા સેમિસ્‍ટર પરીક્ષામાં જીટીયું ટોપ ટેનમાં 3 વિદ્યાર્થી

vartmanpravah

વાપી ભાજપ સંગઠન દ્વારા ભારતરત્‍ન અટલ બિહારી બાજપાઈની 5મી પુણ્‍યતિથિએ પુષ્‍પાંજલિનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી છરવાડા સ્‍થિત રાજ રાજેશ્વરી વિદ્યામંદિરમાં શાનદારવાર્ષિકોત્‍સવની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment