આણંદની ખંભાત કોલેજમાં અશ્વિન યુ. પટેલ ગુજરાતીપ્રાધ્યાપકની ફરજ બજાવે છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: કપરાડા તાલુકાના સુખાલા ગામના યુવા પ્રોફેસરએ સરદાર પટેલ યુનિવર્સિટીમાં આદિવાસી ચેતના વિષય ઉપર મહાનિબંધ રજૂ કરતા યુનિવર્સિટીએ પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે.
કપરાડાના સુખાલા ગામના મૂળ વતની અશ્વિન ઉત્તમભાઈ પટેલ હાલ ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં ગુજરાતી પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. તેઓએ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક પ્રોફેસર સુતા ચૌહાણના માર્ગદર્શન હેઠળ આદિવાસી ચેતના મહાનિબંધ તૈયાર કરી યુનિવર્સિટીને આપ્યો હતો. યુનિવર્સિટીએ અશ્વિન પટેલે લખેલો મહાનિબંધ માન્ય રાખી પીએચ.ડી.ની ડીગ્રી એનાયત કરી હતી. અશ્વિન પટેલએ ઉમરગામથી અંબાજી તથા દ્વારકાથી દાહોદ સુધીના આદિવાસી ચેતના વિષય ઉપર મહાનિબંધ લખ્યો છે. આદિવાસી સાહિત્યમાં વધુ એક મોર પીંછ ઉમેરાયું છે.