October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા સુખાલાના યુવા પ્રાધ્‍યાપકે આદિવાસી ચેતના વિષય ઉપર પીએચ.ડી. કર્યુ

આણંદની ખંભાત કોલેજમાં અશ્વિન યુ. પટેલ ગુજરાતીપ્રાધ્‍યાપકની ફરજ બજાવે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: કપરાડા તાલુકાના સુખાલા ગામના યુવા પ્રોફેસરએ સરદાર પટેલ યુનિવર્સિટીમાં આદિવાસી ચેતના વિષય ઉપર મહાનિબંધ રજૂ કરતા યુનિવર્સિટીએ પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે.
કપરાડાના સુખાલા ગામના મૂળ વતની અશ્વિન ઉત્તમભાઈ પટેલ હાલ ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં ગુજરાતી પ્રાધ્‍યાપક તરીકે ફરજ બજાવે છે. તેઓએ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્‍નાતક પ્રોફેસર સુતા ચૌહાણના માર્ગદર્શન હેઠળ આદિવાસી ચેતના મહાનિબંધ તૈયાર કરી યુનિવર્સિટીને આપ્‍યો હતો. યુનિવર્સિટીએ અશ્વિન પટેલે લખેલો મહાનિબંધ માન્‍ય રાખી પીએચ.ડી.ની ડીગ્રી એનાયત કરી હતી. અશ્વિન પટેલએ ઉમરગામથી અંબાજી તથા દ્વારકાથી દાહોદ સુધીના આદિવાસી ચેતના વિષય ઉપર મહાનિબંધ લખ્‍યો છે. આદિવાસી સાહિત્‍યમાં વધુ એક મોર પીંછ ઉમેરાયું છે.

Related posts

કરચોંડ અને રાંધા, કૌંચાને જાડતા કોઝવે પર તુલસી નદીના પાણી ફરી વળ્યા

vartmanpravah

શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સલવાવમાં બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં નિઃશુલ્‍ક દવાખાનાની શરૂઆત કરવામાં આવશે

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતે દરેક ગ્રામ પંચાયતોમાં કરેલી સાફ-સફાઈ

vartmanpravah

વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં ગાંધીનગરમાં રિવર લિંક પ્રોજેક્ટ વિરોધમાં આદિવાસીઓઍ કરેલો સત્યાગ્રહ: વિધાનસભા ઘેરવાનો કરેલો પ્રયાસ

vartmanpravah

ચીખલીમાં તાલુકા કક્ષાના યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિભાગોમાંથી 75-જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી

vartmanpravah

વાપી બાર એસોસિએશનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર: આગામી તા.17મી ડિસેમ્‍બરના રોજ મતદાન યોજાશે

vartmanpravah

Leave a Comment