March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા સુખાલાના યુવા પ્રાધ્‍યાપકે આદિવાસી ચેતના વિષય ઉપર પીએચ.ડી. કર્યુ

આણંદની ખંભાત કોલેજમાં અશ્વિન યુ. પટેલ ગુજરાતીપ્રાધ્‍યાપકની ફરજ બજાવે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: કપરાડા તાલુકાના સુખાલા ગામના યુવા પ્રોફેસરએ સરદાર પટેલ યુનિવર્સિટીમાં આદિવાસી ચેતના વિષય ઉપર મહાનિબંધ રજૂ કરતા યુનિવર્સિટીએ પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે.
કપરાડાના સુખાલા ગામના મૂળ વતની અશ્વિન ઉત્તમભાઈ પટેલ હાલ ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં ગુજરાતી પ્રાધ્‍યાપક તરીકે ફરજ બજાવે છે. તેઓએ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્‍નાતક પ્રોફેસર સુતા ચૌહાણના માર્ગદર્શન હેઠળ આદિવાસી ચેતના મહાનિબંધ તૈયાર કરી યુનિવર્સિટીને આપ્‍યો હતો. યુનિવર્સિટીએ અશ્વિન પટેલે લખેલો મહાનિબંધ માન્‍ય રાખી પીએચ.ડી.ની ડીગ્રી એનાયત કરી હતી. અશ્વિન પટેલએ ઉમરગામથી અંબાજી તથા દ્વારકાથી દાહોદ સુધીના આદિવાસી ચેતના વિષય ઉપર મહાનિબંધ લખ્‍યો છે. આદિવાસી સાહિત્‍યમાં વધુ એક મોર પીંછ ઉમેરાયું છે.

Related posts

દાનહના અથોલા ગામે નહેરમાં ન્‍હાવા પડેલ યુવાન તણાયો

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. 1.2પ કરોડના ખર્ચે આકાર લઈ રહેલી અદ્યતન લાઈબ્રેરી ટૂંકા દિવસોમાં ખુલ્લી મુકાશે

vartmanpravah

વલસાડ જિલ્લાના કુદરતી પ્રવાસન સ્‍થળોની ફોટોગ્રાફી સ્‍પર્ધામાં ખેરગામના યુવા પરિમલ પ્રથમ ક્રમાંકે

vartmanpravah

આજે પોસ્‍ટ વિભાગના ગુજરાત સર્કલ દ્વારા સેલવાસની ડોકમર્ડી સરકારી કોલેજ ખાતે જન કલ્‍યાણકારી યોજના પ્રોત્‍સાહન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

ચીખલી તાલુકાની ચાસા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાના આયોજન અંગે યોજાયેલી બેઠકમાં આચાર્યએ ઉગ્ર થઈને બીઆરસી ટીપીઈઓ સામે વાણીવિલાસ કરી વિજ્ઞાન મેળા માટે નનૈયો ભણી દીધો

vartmanpravah

જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા. ૧૬ મી સપ્ટેમ્બરે મળશે

vartmanpravah

Leave a Comment