April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા સુખાલાના યુવા પ્રાધ્‍યાપકે આદિવાસી ચેતના વિષય ઉપર પીએચ.ડી. કર્યુ

આણંદની ખંભાત કોલેજમાં અશ્વિન યુ. પટેલ ગુજરાતીપ્રાધ્‍યાપકની ફરજ બજાવે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: કપરાડા તાલુકાના સુખાલા ગામના યુવા પ્રોફેસરએ સરદાર પટેલ યુનિવર્સિટીમાં આદિવાસી ચેતના વિષય ઉપર મહાનિબંધ રજૂ કરતા યુનિવર્સિટીએ પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે.
કપરાડાના સુખાલા ગામના મૂળ વતની અશ્વિન ઉત્તમભાઈ પટેલ હાલ ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં ગુજરાતી પ્રાધ્‍યાપક તરીકે ફરજ બજાવે છે. તેઓએ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્‍નાતક પ્રોફેસર સુતા ચૌહાણના માર્ગદર્શન હેઠળ આદિવાસી ચેતના મહાનિબંધ તૈયાર કરી યુનિવર્સિટીને આપ્‍યો હતો. યુનિવર્સિટીએ અશ્વિન પટેલે લખેલો મહાનિબંધ માન્‍ય રાખી પીએચ.ડી.ની ડીગ્રી એનાયત કરી હતી. અશ્વિન પટેલએ ઉમરગામથી અંબાજી તથા દ્વારકાથી દાહોદ સુધીના આદિવાસી ચેતના વિષય ઉપર મહાનિબંધ લખ્‍યો છે. આદિવાસી સાહિત્‍યમાં વધુ એક મોર પીંછ ઉમેરાયું છે.

Related posts

વીવીઆઈપી વિઝીટના ઉપલક્ષમાં દમણ જિલ્લામાં સોમવારની સાંજે 6 વાગ્‍યાથી બુધવારના સવારે 6 વાગ્‍યા સુધી ટ્રક સહિતના ભારે વાહનોના અવર જવર ઉપર પ્રતિબંધ

vartmanpravah

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

vartmanpravah

ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં વરસાદ વરસતા ભર શિયાળામાં ચોમાસાનો માહોલ છવાયો

vartmanpravah

વલસાડની સિવિલ હોસ્‍પિટલમાં વિશ્વ માનસિક આરોગ્‍ય માસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાયક્રમ યોજાયો

vartmanpravah

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા 111મા બિહાર દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

પીપરીયા રીક્ષા સ્‍ટેન્‍ડ નજીકના કાળી માતા મંદિરને સેલવાસ ન.પા. દ્વારા પોલીસ બંદોબસ્‍ત સાથે હટાવ્‍યું

vartmanpravah

Leave a Comment