February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.22: ચીખલી પોલીસ મથકના પીઆઇ-એન.એમ.આહીર, પીએસઆઈ-સમીરભાઈ કડીવાલા, એલઆઈબીના કિરણભાઈ પઢેર સહિતની અધ્‍યક્ષતામાં ચીખલી મહિલા મંડળ હોલ ખાતે ગણેશ આયોજકો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં પીઆઇ સંબોધતા જણાવ્‍યું હતું કે ગણેશજીની પ્રતિમાના આગમન યાત્રા દરમ્‍યાન કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને આસ્‍થા, શ્રધ્‍ધા પૂર્વક ગણેશજીની પ્રતિમાનું આગમન થવં જોઈએ સાથે ટ્રાફિક ન થાય અને પોલીસને પૂરતો સહયોગ આપવા માટે પણ જણાવ્‍યું હતું. કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઈ રહે અને આમ લોકોને તકલીફ ન પડે તે માટે આયોજકોને તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
ચીખલી તાલુકામાં કેટલાક મંડળો દ્વારા ખ્‍યાતનામ બેન્‍ડ અને ડિજેના સથવારે વિશાળ આગમન યાત્રા યોજાતી હોય છે. જેમાં મોટી સંખ્‍યામાં લોકો એકત્ર થતા હોય છે. ત્‍યારે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે સૂચનો કર્યા હતા. સાથે બીલીમોરાના કેટલાક ગણેશ મંડળોને સાથે રાખી જરૂરી સૂચનો કર્યા હતા.

Related posts

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને, ‘મલ્‍ટી પોસ્‍ટ મલ્‍ટી વોટ’ ઈવીએમનું ફર્સ્‍ટ લેવલ ચેકિંગ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દિપક પ્રધાને જર્જરિત રસ્તાઓના રીપેરીંગ માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરી

vartmanpravah

બે વર્ષ બાદ કોરોનાનું વિઘ્‍ન ટળતા વાપી-વલસાડમાં અનેક મંડળો દ્વારા ગણેશોત્‍સવની ધામધૂમથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

વાપીમાં ૨૨મી માર્ચે ચાર વર્ષ પહેલાં કોરોનાના લોકડાઉન કફર્યુના કાળા કાળની યાદગીરી તાજી કરી

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની ફેલોશીપ મિશન સ્કૂલના અલંકરણ સમારોહમાં હાજરી આપી

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” મહા શ્રમ દાન કરાયું

vartmanpravah

Leave a Comment