Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શૈત્રુંજય અને સમેત શિખર માટે વાપી-વલસાડમાં જૈન સમાજના તમામ ફિરકાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ

વાપીમાં જૈન રેલી યોજાઈ જ્‍યારે વલસાડમાં જૈન મુનીઓની આગેવાની હેઠળ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને ભારતભરના જૈન સમાજમાં સમેત શિખર અને ગુજરાતના શૈત્રુંજય પાલીતાણા ગીરીરાજ માટે લડત ચાલી રહી છે તે ઉપલક્ષમાં વાપી અને વલસાડમાં સમસ્‍ત જૈન સમાજ દ્વારા રેલી સાથે દેખાવો અને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવાયું છે.
ઝારખંડ સરકાર દ્વારા સમેત શિખરને પર્યટન સ્‍થળ તરીકે જાહેર કરવામાં આવતા સમગ્ર દેશના જૈનની લાગણી દુભાઈ છે. પવિત્ર યાત્રાધામમાં પર્યટન બનતા નિયમ-ધર્મનું પાલન નહી થશે. તેથી ઝારખંડ સરકારના નિર્ણય સામે જૈન સમાજ આંદોલન કરી રહેલ છે. બીજી તરફ ગુજરાત શૈત્રુંજય પાલીતાણા એટલે ગિરિરાજ અને સિધ્‍ધોની ભૂમિ છે. અહીં અસામાજીક તત્ત્વો દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલું થઈ ગઈ છે તેથીવાપી-વલસાડના સમસ્‍ત જૈન સમાજમાં લાગણી દુભાઈ છે તેથી વાપીમાં જૈન સમાજે મૌન રેલી કાઢી હતી. જ્‍યારે વલસાડમાં આજે સોમવારે જૈનના તમામ ફિરકાઓ સાથે મુનિશ્રીઓની આગેવાની હેઠળ રેલી કાઢીને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો

vartmanpravah

વાપીની મહિલા ઉપર અશ્‍લિલ વિડીયો ફોટા મોકલનારો આરોપી રાજકોટથી ઝડપાયો

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા રસ્‍તાને નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાશે

vartmanpravah

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વિલ્સન હિલ ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

vartmanpravah

શ્રી બાસુકીનાથ મહાદેવ મંદિરમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મહાભિષેક અને પૂજા અર્ચના કરી

vartmanpravah

Leave a Comment