November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શૈત્રુંજય અને સમેત શિખર માટે વાપી-વલસાડમાં જૈન સમાજના તમામ ફિરકાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ

વાપીમાં જૈન રેલી યોજાઈ જ્‍યારે વલસાડમાં જૈન મુનીઓની આગેવાની હેઠળ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને ભારતભરના જૈન સમાજમાં સમેત શિખર અને ગુજરાતના શૈત્રુંજય પાલીતાણા ગીરીરાજ માટે લડત ચાલી રહી છે તે ઉપલક્ષમાં વાપી અને વલસાડમાં સમસ્‍ત જૈન સમાજ દ્વારા રેલી સાથે દેખાવો અને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવાયું છે.
ઝારખંડ સરકાર દ્વારા સમેત શિખરને પર્યટન સ્‍થળ તરીકે જાહેર કરવામાં આવતા સમગ્ર દેશના જૈનની લાગણી દુભાઈ છે. પવિત્ર યાત્રાધામમાં પર્યટન બનતા નિયમ-ધર્મનું પાલન નહી થશે. તેથી ઝારખંડ સરકારના નિર્ણય સામે જૈન સમાજ આંદોલન કરી રહેલ છે. બીજી તરફ ગુજરાત શૈત્રુંજય પાલીતાણા એટલે ગિરિરાજ અને સિધ્‍ધોની ભૂમિ છે. અહીં અસામાજીક તત્ત્વો દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલું થઈ ગઈ છે તેથીવાપી-વલસાડના સમસ્‍ત જૈન સમાજમાં લાગણી દુભાઈ છે તેથી વાપીમાં જૈન સમાજે મૌન રેલી કાઢી હતી. જ્‍યારે વલસાડમાં આજે સોમવારે જૈનના તમામ ફિરકાઓ સાથે મુનિશ્રીઓની આગેવાની હેઠળ રેલી કાઢીને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

Related posts

આંતરરાષ્‍ટ્રીય દિવસ પર અનુરાગ સિંહ અને મનિષ ઝા દ્વારા વિશેષ સેમિનારનું સમાપન

vartmanpravah

‘ફ્રાઈ ડે ડ્રાય ડે’ અભિયાન અંતર્ગત દાનહમાં ખતરનાક ડેન્‍ગ્‍યુને અટકાવવા માટે મચ્‍છરોના પ્રજનન સ્‍થળો નષ્ટ કરાયા

vartmanpravah

પ્રદેશ ભાજપના સેલવાસ જિલ્લા ગ્રામીણ બૂથ સશક્‍તિકરણ અભિયાનના કાર્યનો આરંભ

vartmanpravah

લાંબા સમય બાદ દાનહમાં પણ ફરી માથું ઊંચકી રહેલો કોરોનાઃ 01 પોઝીટીવ : પ્રશાસન સતર્ક

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપે 17 સભ્‍યોની લદ્દાખ એડવેન્‍ચર કેમ્‍પ પૂર્ણ કરીને રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને સનદી અધિકારીઓના વિભાગોમાં કરેલા ફેરફાર દીવ જિલ્લાના કલેક્‍ટર તરીકે રાહુલ દેવ બુરાઃ દીવના એસ.પી. તરીકે રાહુલ બાલહરાની નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment