August 30, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની સાર્વજનિક શાળામાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની કરાયેલી ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24: એમ.જી.એમ. એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક શાળા, દમણમાં આજે કળષ્‍ણ જન્‍માષ્ટમી મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શાળાના પ્રિ-પ્રાયમરી વિભાગના ઝળહળતા સ્‍ટાર્સ, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્‍ટાફે આનંદ અને ભક્‍તિતભાવ સાથે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં સંસ્‍થાના ચેરમેન શ્રી જીજ્ઞેશભાઈ જોગી, પૂર્વ ચેરમેન શ્રી જોગીભાઈ ટંડેલ, સેક્રેટરી શ્રી રૂદ્રેશભાઈ ટંડેલ, ખજાનચી શ્રી દિલીપભાઈ ટંડેલ અને સંસ્‍થાના કમિટી મેમ્‍બર શ્રીજયંતિભાઈ ટંડેલ, શાળાના ઓએસડી શ્રી રમેશભાઈ વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્‍થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
આ કાર્યક્રમમાં સંસ્‍થાના સેક્રેટરી શ્રી રૂદ્રેશભાઈ ટંડેલે વિદ્યાર્થીઓને કળષ્‍ણ જન્‍મની કથા અને કળષ્‍ણની બાળ લીલા અને દહીં હાંડીનું આયોજન કરવાના મહત્‍વ વિશે માહિતી આપી હતી.
સંસ્‍થાના અધ્‍યક્ષ શ્રી જિજ્ઞેશભાઈ જોગીએ શાળામાં આયોજિત આ કાર્યક્રમમાં ઉત્‍સાહભેર ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પ્રશંસા કરીને આનંદ વ્‍યક્‍ત કર્યો અને કોલકાતામાં પીડિત ડોક્‍ટર પ્રત્‍યે સંવેદના પણ વ્‍યક્‍ત કરી અને કહ્યું, ‘‘હું તમારી સાથે છું” તેના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ‘મી ટુ’ ઝુંબેશ ચલાવવા માટેનું આહ્‌વાન કર્યું હતું.
શાળાના શિક્ષક શ્રી દીપક મિષાી, સુપરવાઈઝર શ્રી બી.ડી. જગતાપ અને હેડ મિસ્‍ટ્રેસ શીતલ પટેલના નેતૃત્‍વમાં તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓની સતત મહેનતે આ કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.
——–

Related posts

સેલવાસના અટલ ભવન ખાતે અટલ જન સેવા કેન્‍દ્રનો આરંભઃ દાનહના ઊંડાણના આદિવાસી સમુદાય માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

NCTEએ શૈક્ષણિક સત્ર 2021-22 અને 2022-23 માટે શિક્ષક શિક્ષણ સંસ્થાઓના પ્રદર્શન મૂલ્યાંકન અહેવાલ સબમિટ કરવા માટે નોટિસ બહાર પાડી

vartmanpravah

જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયાના અધ્યક્ષસ્થાને ઘેલવાડ પંચાયત ભાજપ મંડળની બેઠકમાં સંગઠનને મજબુત બનાવવા અને સરકારની યોજનાઓ છેવાડેના લોકો સુધી પહોંચાડવા મનન-મંથન

vartmanpravah

છેલ્લા બે મહિનાથી દાનહમાં બેંકો રૂા.1 લાખ કરતા વધુની રકમના ઉપાડ તથા જમાની વિગતો પ્રશાસનને આપશે

vartmanpravah

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્‍તે વલસાડ-નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત

vartmanpravah

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

vartmanpravah

Leave a Comment