April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

દાનહના અથાલની માર્બલ કંપનીમાં કામ કરતી વખતે ક્રેઈનનો હુક તૂટતા દબાઈ જતા કામદારનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24: દાદરા નગર હવેલીના અથાલ ગામે આવેલ મિલેનિયમ માર્બલ કંપનીના યુનિટ કર્ગવાલ એન્‍ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડના પ્‍લોટમાં એક મજૂરનું મોત થઈ ગયું છે. આ મજૂર ક્રેઈનની મદદથીમાર્બલને લોડિંગ અનલોડીંગનું કામ કરી રહ્યો હતો તે સમયે ક્રેઈનમાં લગાવવામાં આવેલ હુક તૂટી જતા માર્બલ સીધો એના શરીર પર પડતા માર્બલ નીચે દબાઈ જતા એનું ઘટના સ્‍થળ પર જ મોત થઈ ગયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર રાજુ પરમાર હાલ રહેવાસી અથાલ, મૂળ રહેવાસી મધ્‍યપ્રદેશ જે મિલેનિયમ માર્બલ કંપનીના કર્ગવાલ એન્‍ટરપ્રાઈઝ પ્રા.લિ. કંપનીમાં મજૂર તરીકે કામ કરતો હતો જે માર્બલ પથ્‍થરને લોડિંગ-અનલોડિંગ કરી રહ્યા હતા તે સમયે કોઈક કારણસર ક્રેઈનમાં લગાવવામાં આવેલ હુક અચાનક તૂટી પડતા એમા જે માર્બલ પથ્‍થર સીધો રાજુ પર પડતા એ એની નીચે દબાઈ ગયો હતો જેના કારણે એનું ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું. આ ઘટના અંગે પોલીસને જાણ થતા નરોલી પોલીસની ટીમ પહોંચી ઘટના અંગેની જાણકારી લઈ લાશનો કબ્‍જો લઈ પીએમ માટે મોકલી આપવામાં આવી હતી.
જો કંપની દ્વારા સમયસર આવા સાધનોનું મેન્‍ટેનન્‍સ કરવામાં આવતું હોય અને અને મજૂરોને સુરક્ષાના સાધનો આપવામાં આવતા હોત તો કદાચ આવી ઘટનાને બનતા અટકાવી શકાઈ હોત પરંતુ કંપની આવી વાતોને અનદેખી કરી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે.

Related posts

વાપી વીઆઈએથી ચણોદ આર.સી.સી. રોડની કામગીરી શરૂ થતાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની

vartmanpravah

176- ગણદેવી વિધાનસભામાં 199પ થી ભાજપના ગઢમાં ત્રિપાંખિયા જંગમાં ફરી એકવાર ભાજપ કમળ ખીલાવે તેવી લોક ચર્ચા

vartmanpravah

116 વખત બ્‍લડ ડોનેટ કરતા પારડીના સમાજ સેવક સંજય બારિયા

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વચ્‍છ ભારત મિશનના સ્‍વપ્‍નને સાર્થક કરતી વાપીની ‘એસએચ એન્‍જીટેક’

vartmanpravah

ચીખલી-વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ ઉપર કરાયેલા હુમલા બાદ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં ટોળાએ કરેલી તોડફોડ

vartmanpravah

દાનહઃ સિંદોની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment