October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સૈયદ રાત્રે વાપી સ્‍ટેશનથી પસાર થવાના હોવાથી લોકો ઉમટી પડયા

ધર્મગુરુના દીદાર કરવા માટે વાપી, દમણ, સેલવાસ, ઉમરગામના દાઉદી વ્‍હોરા સમાજના લોકો ઉમટી પડેલા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સૈયદના સાહેબ ટ્રેન મારફતે વાપી સ્‍ટેશનથી પસાર થવાના હોવાથી શનિવારે રાતે હજારોની સંખ્‍યામાં દાઉદી વ્‍હોરા સમાજના લોકો પ્‍લેટફોર્મ ઉપર ધર્મગુરુના દીદાર કરવા ઉમટી પડયા હતા.
દાઉદી વ્‍હોરા સમાજ સમુદાય સામાન્‍ય રીતે શિક્ષિત, મહેનતુ અને વેપારી હોવાથી સમૃધ્‍ધ છે. સાથે આધુનિક જીવનશૈલી ધરાવે છે. તેઓ ધર્મભેરુ સમુદાય તરીકે ઓળખાય છે. હાલના 53મા ધર્મગુરુ તરીકે મુફદ્દલ સૈફુદ્દીન સૈયદના છે. તેઓ વાપી સ્‍ટેશનથી પસાર થવાની જાણ થતા વાપી, દમણ, સેલવાસ, ઉમરગામના હજારો દાઉદી વ્‍હોરા સમાજના લોકો વાપી રેલવે સ્‍ટેશને શનિવારે રાત્રે ઉમટી પડયા હતા. પોતાના ધર્મગુરુના દિદાર કરી આશીર્વાદ મેળવ્‍યા હતા. મૌલાના દમણ પધરામણી કરે તેવી ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી. ધર્મગુરુ વાપીમાં ફક્‍ત 2 મિનિટ રોકાયા હતા.

Related posts

પારડી બી.આર.જે.પી. સ્‍કૂલમાં જન્‍માષ્ટમીની ઉલ્લાસ-ઉમંગથી કરાયેલી ઉજવણી

vartmanpravah

હાલમાં જૈન ધર્ણના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

ખોડલધામના આંગણે રૂડો અવસર: 30 સપ્‍ટેમ્‍બરે શ્રી ખોલડધામ વિદ્યાર્થી સમિતિ કન્‍વીર મીટ-2023 યોજાશે

vartmanpravah

નવસારી જિલ્લામાં રાહુલ ગાંધીની સભાને લઈને કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ચીખલી તાલુકાના ખૂડવેલ અને વાંસદાની લીધેલી મુલાકાત

vartmanpravah

હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશનની ટીમ દ્વારા આયોજીત દાનહ : રૂદાના ખાતે આનંદ મેળાનું ઉદ્‌ઘાટન કરતા પ્રસિદ્ધ ધારાશાષાી સની ભિમરા

vartmanpravah

Leave a Comment