February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સૈયદ રાત્રે વાપી સ્‍ટેશનથી પસાર થવાના હોવાથી લોકો ઉમટી પડયા

ધર્મગુરુના દીદાર કરવા માટે વાપી, દમણ, સેલવાસ, ઉમરગામના દાઉદી વ્‍હોરા સમાજના લોકો ઉમટી પડેલા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સૈયદના સાહેબ ટ્રેન મારફતે વાપી સ્‍ટેશનથી પસાર થવાના હોવાથી શનિવારે રાતે હજારોની સંખ્‍યામાં દાઉદી વ્‍હોરા સમાજના લોકો પ્‍લેટફોર્મ ઉપર ધર્મગુરુના દીદાર કરવા ઉમટી પડયા હતા.
દાઉદી વ્‍હોરા સમાજ સમુદાય સામાન્‍ય રીતે શિક્ષિત, મહેનતુ અને વેપારી હોવાથી સમૃધ્‍ધ છે. સાથે આધુનિક જીવનશૈલી ધરાવે છે. તેઓ ધર્મભેરુ સમુદાય તરીકે ઓળખાય છે. હાલના 53મા ધર્મગુરુ તરીકે મુફદ્દલ સૈફુદ્દીન સૈયદના છે. તેઓ વાપી સ્‍ટેશનથી પસાર થવાની જાણ થતા વાપી, દમણ, સેલવાસ, ઉમરગામના હજારો દાઉદી વ્‍હોરા સમાજના લોકો વાપી રેલવે સ્‍ટેશને શનિવારે રાત્રે ઉમટી પડયા હતા. પોતાના ધર્મગુરુના દિદાર કરી આશીર્વાદ મેળવ્‍યા હતા. મૌલાના દમણ પધરામણી કરે તેવી ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી. ધર્મગુરુ વાપીમાં ફક્‍ત 2 મિનિટ રોકાયા હતા.

Related posts

મોતીવાડા બ્રિજ પાસેથી દારૂ ભરેલ રીક્ષા ઝડપતી વલસાડ એલસીબી

vartmanpravah

સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા દાનહના ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડને આધુનિકરણ માટે કલેક્‍ટરને આવેદન પત્ર આપ્‍યું

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

vartmanpravah

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. કમલાશંકર રાયની 19 મી પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ખતલવાડ પંચાયતે રસ્‍તાની કામગીરી માટે પસાર કરેલો ઠરાવ સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

જેઈઈ મેઈન 2024માં વાપી ઉમરગામના બે વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સેન્‍ટાઈલ મેળવ્‍યા

vartmanpravah

Leave a Comment